1. Home
  2. ગુજરાતી
  3. જયશંકર યુએસના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન યુદ્ધથી લઈને પેસિફિક ક્ષેત્ર સુધીના ઘણા મુદ્દાઓ પર કરી વાત
જયશંકર યુએસના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન યુદ્ધથી લઈને પેસિફિક ક્ષેત્ર સુધીના ઘણા મુદ્દાઓ પર કરી વાત

જયશંકર યુએસના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન યુદ્ધથી લઈને પેસિફિક ક્ષેત્ર સુધીના ઘણા મુદ્દાઓ પર કરી વાત

0
Social Share

દિલ્હી:ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં કંબોડિયાની રાજધાની નોમ પેન્હ પહોંચી ગયા છે.અહીં તેમણે આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો.આ સિવાય તેઓ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા.આ દરમિયાન બંને સમકક્ષ નેતાઓએ ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી.બંને વચ્ચે યુક્રેન યુદ્ધથી લઈને વ્યૂહાત્મક ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા થઈ હતી.

જયશંકર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે યાત્રા પર છે, જેઓ અહીં આસિયાન-ઈન્ડિયા સમિટ અને 17મી ઈસ્ટ એશિયા સમિટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. જયશંકરે ટ્વિટ કર્યું,અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે સારી મુલાકાત થઈ.યુક્રેન, ઈન્ડો-પેસિફિક, ઉર્જા, G20 અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી.

જયશંકરે તેમના થાઈલેન્ડ સમકક્ષ ડોન પ્રમુવિનઈ સાથે પણ વાતચીત કરી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code