1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. “ગુજરાત નઈ તાલીમ સંઘ”ના પ્રમુખ પદે મનસુખભાઇ માંડવિયાની વરણી કરવામાં આવી
“ગુજરાત નઈ તાલીમ સંઘ”ના પ્રમુખ પદે મનસુખભાઇ માંડવિયાની વરણી કરવામાં આવી

“ગુજરાત નઈ તાલીમ સંઘ”ના પ્રમુખ પદે મનસુખભાઇ માંડવિયાની વરણી કરવામાં આવી

0
Social Share
  • નઈ તાલીમ સંઘની યોજાઈ સાધારણ સભા
  • ગુજરાત વિદ્યાપીઠ ખાતે મળી સાધારણ સભા  
  • પ્રમુખ પદે મનસુખભાઈ માંડવિયાની પસંદગી

અમદાવાદ:ગુજરાતમાં ગાંધીજીના વિચારોને લઈને ચાલતી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓના સંગઠન “ગુજરાત નઈ તાલીમ સંઘ”ના પ્રમુખ પદે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઇ માંડવિયાની વરણી કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે “નઈ તાલીમ સંઘ”ની સાધારણ સભા મળી હતી.જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે મનસુખભાઈ માંડવિયાના નામને બહાલી આપવામાં આવી હતી.

ગજરાતભરમાંથી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ગુજરાત વિદ્યાપીઠ ખાતે એકત્રિત થયા હતા. “નઈ તાલીમ સંઘ”ના પ્રમુખ પદેથી સંબોધન કરતા મનસુખભાઇ માંડવિયાએ  જણાવ્યું હતું કે  હતું કે બુનિયાદી શિક્ષણએ માણસના ઘડતરનો પાયો છે. જે ગાંધીજીના રાહ પર ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે કામો નથી થયા તે આઝાદી બાદ હવે થઇ રહ્યા છે. દેશની નવી શિક્ષણ નીતિમાં સમાવેશ કરાયેલા ઘણા મુદ્દા મૂળ તો બુનિયાદી શિક્ષણના જ છે. તેમણે ઉમેર્યું હતું કે બુનિયાદી શિક્ષણ તેના પ્રચાર-પ્રસાર અને માર્કેટિંગ કરવામાં પાછળ રહ્યું છે. જેની આપણે આજથી શરૂઆત કરીશું. આ સંસ્થાઓમાં વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે તેવું વાતાવરણ આપણે ઉભું કરીશું.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ છેલ્લા દસ વર્ષથી ભાવનગર જિલ્લાની અને અન્ય બુનિયાદી સંસ્થાઓમાં રસ લઈ તેનો વિકાસ કર્યો છે, જેની નોંધ લેતા પદ્મશ્રી અને પીઢ ગાંધીવાદી આગેવાન માલજીભાઈ દેસાઈએ સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદી પછી મોરારજીભાઈની સરકાર પછી આ બીજો પ્રસંગ છે કે કેન્દ્ર સરકારના પ્રધાન હોય અને “નઈ તાલીમ સંઘ”ના પ્રમુખ બન્યા હોય. આ પ્રસંગે લોકભારતી સણોસરાના ટ્રસ્ટી  અરુણભાઈ દવેએ સ્વાગત પ્રવચનમાં મનસુખભાઇ માંડવિયા સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા તેમજ  માંડવિયાએ છેલ્લા 20 વર્ષમાં જાહેર જીવનમાં યોજેલી બેટી બચાવો, શિક્ષણ અને ગાંધી વિચાર માટે કરેલી પદયાત્રાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્રભાઇ ખીમાણીને પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું , તેમણે આગામી દિવસોમાં નઈ તાલીમ સંઘના નાના મોટા પ્રશ્નો ઉકેલવા પણ અપીલ સરકારને કરી હતી.નઈ તાલીમ સંઘના હોદ્દેદારો ઉદેસંગહભાઈ નીખિલભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code