1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મધદરિયે પોરબંદરના જમના સાગર વહાણે લીધી જળસમાધી, નવ ક્રુ મેમ્બરને બચાવી લેવાયા
મધદરિયે પોરબંદરના જમના સાગર વહાણે લીધી જળસમાધી, નવ ક્રુ મેમ્બરને બચાવી લેવાયા

મધદરિયે પોરબંદરના જમના સાગર વહાણે લીધી જળસમાધી, નવ ક્રુ મેમ્બરને બચાવી લેવાયા

0
Social Share

પોરબંદરઃ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે કરંન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે એક 500 ટનનું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે ઊંચા મોજા ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયાં હતાં. જેથી આ વહાણે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવમાં એક ક્રૂ મેમ્બર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે અન્ય નવ ક્રૂ મેમ્બરોને ત્યાંથી પસાર થતા ગેસશીપના ટેન્કરે બચાવી લીધા છે અને બચાવી લેવાયેલા સ્ક્રુ-મેમ્બરોને દુબઈ લઈ જવાયા હતા..
સૂત્રોના જણાવ્યા મુજબ  જમના શિપિંગ નામની પેઢીની માલિકીનું ‘જમના સાગર’ નામનું 500 ટનનું અને અંદાજે પોણા બે કરોડની કિંમત ધરાવતું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાના ચોબાર બંદરે ગયું હતું અને ત્યાંથી આ માલ ખાલી કરીને પોરબંદર આવી રહ્યું હતું. દસ ક્રૂ મેમ્બર સાથે ઈરાનથી રવાના થયેલું વહાણ મંગળવારે દોઢેક વાગ્યે પસણી અને ગ્વાદારની વચ્ચે કિનારાથી આશરે 100 નોટિકલ માઇલ દૂરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ તોફાની સમુદ્રના ઊંચા મોજા ઉછળતા મોજાને લીધે સમુદ્રનાં પાણી વહાણમાં ભરાવા લાગ્યા હતા અને આ વહાણ ડૂબવા લાગ્યું હતું.
વહાણના કેપ્ટને ડૂબી રહેલાં વહાણ વિશેની જાણ તેના માલિકને કરી હતી અને જમના શિપિંગ કંપનીના માલિકે ડૂબી રહેલા વહાણની જાણ મુંબઈ ખાતે આવેલા એમ.આર.સી.સી.(મેરીટાઇમ રેસક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર)ને કરી હતી. એમ.આર.સી.સી. દ્વારા તપાસ હાથ ધરીને નજીકથી પસાર થતી ગેસશીપ ટેન્કર એમ.ટી. ક્રૂઈબેકને જાણ કરવામાં આવી હતી અને ડૂબી રહેલા વહાણના ખલાસીઓને બચાવવા જણાવ્યું હતું. આથી આ ગેસશીપ તાત્કાલિક લોકેશન શોધીને ત્યાં પહોંચી ગઈ હતી.  અને તેમના કેપ્ટન દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શીપના કેપ્ટને ઓપરેશન હાથ ધર્યું તે દરમિયાન નવ ખલાસીઓને બચાવવા સફળતા મળી હતી પરંતુ શેખ હુસેન અલીમામદ નામનો એક ખલાસી તોફાની સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. તેની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ પતો મળ્યો નથી. બચી ગયેલા નવ ખલાસીઓને લઈને શીપ દુબઈ જવા રવાના થઈ છે. દરિયાઈ અકસ્માતના આ બનાવમાં વહાણ માલિકને અંદાજે પોણા બે કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે આ ‘જમના સાગર’ વહાણ મેઇન્ટેનન્સ માટે પોરબંદર આવતું હતું ત્યારે આ બનાવ બન્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code