1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરના પુંછમાં રોડ અકસ્માત, 9 લોકોના મોત અને 4 ઈજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરના પુંછમાં રોડ અકસ્માત, 9 લોકોના મોત અને 4 ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના પુંછમાં રોડ અકસ્માત, 9 લોકોના મોત અને 4 ઈજાગ્રસ્ત

0
Social Share
  • જમ્મુ કાશ્મીરના પુંછમાં રોડ અકસ્માત
  • 9 લોકોના થયા મોત
  • 4 લોકો થયા ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાં એક રોડ અકસ્માતની ઘટના બની, આ ઘટનામાં 9 લોકોને મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, સાથે અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. સ્થાનિય ડીએમ દ્વારા કહેવામાં આવ્યું કે ઈજાગ્રસ્ત અને જે પરીવારના લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોને તમામ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો દુર્ઘટનાનો શિકાર થયા છે તે લોકો લગ્નમાંથી પરત ફર્યા હતા અને તે સમય દરમિયાન આ પ્રકારની ઘટના બની.

અધિકારીઓએ કહ્યું કે વાહનમાં 13 લોકો સવાર હતા, જ્યારે ગાડી ટેકરા પરથી નીચે પડી ત્યારે સ્થાનિક લોકો દ્વારા ગાડી પાસે પહોંચવામાં આવ્યું અને તે લોકો દ્વારા પોલીસને તથા અધિકારીઓને જાણ કરવામાં આવી. જાણકારી અનુસાર ગાડીના અકસ્માતના સમય પર જ 7 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય 6 ગંભીર લોકોમાંથી બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code