1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર વર્ષમાં 10 મિલિયનથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ સર્જાયો
અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર વર્ષમાં 10 મિલિયનથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ સર્જાયો

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર વર્ષમાં 10 મિલિયનથી વધુ પ્રવાસીઓનો રેકોર્ડ સર્જાયો

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.

અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રવાલી ટ્રાફિકમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. સાથે પ્રવાસી સુવિધામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. SVPI એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, G20, U20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે,

20 નવેમ્બર 2023ના રોજ એરપોર્ટે 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જમાવ્યા મુજબ પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં SVPI એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં 9,000 ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં 10,000 ચોરસ મીટરનો વધારો થયો છે, જેમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.તાજેતરમાં કરાયેલા વિકાસ કાર્યોમાં નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર, આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા, ઇન્ટરનેશનલ ટર્મિનલ પર FAS Tag પ્રવેશ અને નિકાસ, ઈ-ગેટની સ્થાપના, સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા અને ડિજી યાત્રા પ્રવેશ, સમર્પિત પરિવહન બુકિંગ ઝોન, તેમજ લેન્ડસાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્સ વગેરેનો સમાવેશ થાય છે. હાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે. જે પ્રવાસીઓને અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code