
રેલ્વે યાત્રીઓને ફટકો – રેલ્વે વિભાગ દ્વારા ઓછા અંતરની ટ્રેનના ભાડામાં વધારો ઝિંકાયો
- રેલ્વેએ કોરોનાને લઈને ભાજામાં વધારો કર્યો
- ઓછા અંતરની ટ્રેનના ભાડા વધારાયા
દિલ્હી – કોરોના બાદ રેલ્વેને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે ત્યારે હવે ભારતીય રેલ્વે તેની ભરપાઈ કરવા માટેની કવાયત હાથ ઘરી રહી છે. જે અંતર્ગત યાત્રી ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે.
આ સમગ્ર મામલે રેલ્વે દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદન પ્રમાણો ટૂંકા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. રેલ્વે એ ભાડૂ વધારવા પાછળનું કારણ કોરોના વાયરસનું જોખમને ગણાવ્યું છે,કોરોનાના જાખમ ધટાડવા માટે લોકો વચ્ચેનું અતર જળવાઈ રહે અને વધારે ભાડાના કારણે મોટા પ્રમાણમાં મુલસાફરો એકત્રિત ન થાય
ભારતીય રેલ્વે વિભાગ દ્વારા વધારેલા ભાડાની અસર 30 કિલો મીટરથી લઈવને 40 કિમીની યાત્રા કરતા યાત્રીઓ ને લાગુ પડશે કારણ કે આ ભાડબ ઓછા અંતરની ટ્રેન માટે વધારવામાં આવ્યું છે.
રેલ્વેના જણાવ્યા પ્રમાણે ટ્રેનનું વધેલું ભાડૂ માત્રને માત્ર 3 ટકા ટ્રેનો પર લાગુ પડશે, કોરોનાના કારણે અનેક રાજ્યોમાં સ્થિતિ કથળઈી રહી છે જેથી ભીડ એક જગ્યાએ ન ભેગી થાય તે હેતુસર આ નિર્ણય લેવાયો છે.આ સાથે જ પહેલાથી જ યાત્રીઓને દરેક યાત્રામાં મોટુ નુકસાન વેઠવું પડ્યું છે.
રેલ્વેના જણાવ્યા પ્રમાણે વધેલી કિંમતોને સમાન અંતર સુધી દોડનારી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડાના આધારે નક્કી કરાઈ છે. અર્થાત યાત્રીઓને ઓછા અંતરની યાત્રા માટે પણ મેલ/એક્સપ્રેસ બરાબર ભાડુઆપવું પડશે.
સાહિન-