
ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા,કોઈ નુકસાન નહીં
દિલ્હી:ઈન્ડોનેશિયાના ઉત્તરીય પ્રાંત અકેહમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જો કે, આનાથી તાત્કાલિક કોઈ નુકસાનની જાણ થઈ નથી.અધિકારીઓએ જણાવ્યું કે,ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં તેમને સંદેશ મળ્યો કે સુનામીની કોઈ ચેતવણી નથી.
નોંધનીય છે કે 2004માં અકેહ પ્રાંતના ઓફશોર વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ઘણા દેશોમાં સુનામી આવી હતી અને લગભગ 2,30,000 લોકો માર્યા ગયા હતા. શનિવારના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 હતી અને તેનું કેન્દ્ર સપાટીથી 49 કિલોમીટર નીચે હતું.
અકેહ પ્રાંતના દરિયાકાંઠાના શહેર મિઉલાબોહથી 40 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું. જો કે, ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, આબોહવા અને ભૂ-ભૌતિક એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 6.4 હતી.