1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ
દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને પકડવા માટે સુપ્રીમ કોર્ટે તંત્રને કર્યો નિર્દેશ

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓના કારણે ડરમાં રહેવા મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્દેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં બધા રખડતા કૂતરાઓને પકડવામાં આવશે. આ પછી, તેમને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવશે. 5,000 કૂતરાઓ માટે આશ્રયસ્થાનો બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આઠ અઠવાડિયામાં બધા રખડતા કૂતરાઓને પકડીને ડોગ શેલ્ટરમાં રાખવામાં આવે. આ સાથે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કૂતરાને પાછા છોડવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું કે જે પણ વિભાગ આ રખડતા કૂતરાઓને પકડવાનું કામ કરશે. તે એક દિવસમાં કેટલા રખડતા કૂતરા પકડાયા છે તેનો રેકોર્ડ રાખશે. કોર્ટે અધિકારીઓને આદેશ આપ્યો છે કે તમામ વિસ્તારોને રખડતા કૂતરાઓથી મુક્ત કરવામાં આવે. આ સાથે, કોર્ટે કડક સ્વરમાં વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. જો કોઈ વ્યક્તિ કે સંગઠન રખડતા કૂતરાઓને પકડવામાં અવરોધ ઊભો કરશે, તો અમે કાર્યવાહી કરીશું.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હાલમાં આપણે દિલ્હી-એનસીઆરને રખડતા કૂતરાઓથી મુક્ત કરવું પડશે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો શેરીઓમાં સુરક્ષિત રહે અને હડકવાથી બચી જાય તે માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. શેરીઓને રખડતા કૂતરાઓથી સંપૂર્ણપણે મુક્ત કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, એમસીડી અને નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક કૂતરાઓ માટે આશ્રયસ્થાન બનાવવા અને 8 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કોઈપણ કામમાં કોઈ બાંધછોડ ન થવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code