ગુજરાતમાં તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં 15મી જુનથી 4 મહિનાનું વેકેશન
પ્રવાસીઓ ચાર મહિના અભ્યારણ્યોની મુલાકાત લઈ શકશે નહી, ચોમાસામાં પ્રાણીઓનો પ્રજનનકાળ હોવાથી અભ્યારણ્યોમાં પ્રવેશબંધી રહેશે, 16મી ઓક્ટોબરે અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાશે ગાંધીનગરઃ મોટાભાગના પ્રાણીઓનો ચોમાસા દરમિયાન મેટિંગ પિરિયડ અને પ્રજનનકાલ ચાલતો હોવાથી આગામી 15 જૂનથી ચાર માસ માટે રાજ્યના તમામ અભયારણ્યો-રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે અને તા. 16 ઓક્ટોબરથી પુનઃ શરૂ કરાશે. […]