1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં ‘આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026: આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલના હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. 03 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને […]

અમદાવાદમાં ડ્રેનેજની કામગીરી કરતા મકાન તૂટી પડતા મહિલાનું મોત, બેને ઈજા

અમદાવાદ,29 જાન્યુઆરી 2026:  શહેરના ઘી-કાંટા વિસ્તારમાં મોટી હમામની પોળ પાસે આવેલા નવતાડની પોળમાં આજે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાઈ ગયા હતાં. આ બનાવને લીધે પોળના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દટાયેલા લોકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતુ. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા ત્રણ […]

અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરમાં બાળક તસ્કરીના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ મોટી સફળતા મેળવી છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોલીસે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડી એક માસૂમ બાળકને રેસ્ક્યૂ કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATS ને […]

અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એલિવેટેડ કોરિડોર અને 8 ફ્લાયઓવર બનાવાશે

ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026: અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કુલ ખર્ચ: ₹2,630 કરોડ લંબાઈ: […]

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.  શહેરમાં શાહીબાગ […]

અમદાવાદના રખિયાલમાં રિનોવેશનના બહાને ઉર્દુ શાળા 5 વર્ષથી બંધ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાને છેલ્લા 5 વર્ષથી મરામત કરવાને બહાને બંધ કરવામાં આવી છે, અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બાળકોને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને બીજી સ્કૂલમાં જવું પડે છે. આથી રખિયાલ અને બાપુનગરના વાલી મંડળોએ માંગણી કરી કે, રીપેરીંગ કરીને ફટાફટ સ્કૂલ ચાલુ […]

અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ બાકી છે, ત્યારે કેનાલમાં પાણી છોડાતા કામગીરીને બ્રેક

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યુ છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ 50 મીટરની કામગીરી બાકી છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં એકાએક પાણી છોડાતા પ્રોજેક્ટની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેમજ ભાજપના […]

અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલની આરટીઓ કચેરીમાં હવે એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે. એવા અરજદારો જ ઉતિર્ણ થઈ શકશે. શહેરની બન્ને આરટીઓ કચેરીમાં 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા એઆઈ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરાશે. અમદાવાદ […]

અમદાવાદમાં 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને લેવા વાલીઓ દોડી ગયા

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026:  શહેરમાં 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયો હતો. અને ડોગ સ્ક્વોર્ડની મદદથી શાળાઓમાં ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી. બીજીબાજુ વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલો પર દોડી આવ્યા હતા. પોલીસે ઈ-મેઈલ ક્યાંથી આવ્યો […]

અમદાવાદમાં BGMI ગેમ રમવા બાબતે બોલાચાલી બાદ યુવકની છરીના ઘા મારીને હત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ગાયકવાડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code