1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.  શહેરમાં શાહીબાગ […]

અમદાવાદના રખિયાલમાં રિનોવેશનના બહાને ઉર્દુ શાળા 5 વર્ષથી બંધ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાને છેલ્લા 5 વર્ષથી મરામત કરવાને બહાને બંધ કરવામાં આવી છે, અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બાળકોને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને બીજી સ્કૂલમાં જવું પડે છે. આથી રખિયાલ અને બાપુનગરના વાલી મંડળોએ માંગણી કરી કે, રીપેરીંગ કરીને ફટાફટ સ્કૂલ ચાલુ […]

અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ બાકી છે, ત્યારે કેનાલમાં પાણી છોડાતા કામગીરીને બ્રેક

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યુ છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ 50 મીટરની કામગીરી બાકી છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં એકાએક પાણી છોડાતા પ્રોજેક્ટની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેમજ ભાજપના […]

અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલની આરટીઓ કચેરીમાં હવે એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે. એવા અરજદારો જ ઉતિર્ણ થઈ શકશે. શહેરની બન્ને આરટીઓ કચેરીમાં 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા એઆઈ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરાશે. અમદાવાદ […]

અમદાવાદમાં 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને લેવા વાલીઓ દોડી ગયા

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026:  શહેરમાં 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયો હતો. અને ડોગ સ્ક્વોર્ડની મદદથી શાળાઓમાં ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી. બીજીબાજુ વાલીઓ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલો પર દોડી આવ્યા હતા. પોલીસે ઈ-મેઈલ ક્યાંથી આવ્યો […]

અમદાવાદમાં BGMI ગેમ રમવા બાબતે બોલાચાલી બાદ યુવકની છરીના ઘા મારીને હત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ગાયકવાડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની […]

કોંગ્રેસના સાંસદના ભત્રીજાએ અકસ્માતે ગોળી વાગતા પત્નીના મોત બાદ કરી આત્મહત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ ગત મોડી રાતે રિવોલ્વર ફેરવતા હતા તે સમયે તેમના પત્ની રાજેશ્વરીબાને અકસ્માતે ગોળી વાગતા ત્વરિત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 180ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા આઘાતમાં આવી જઈને યશરાજસિંહ ગોહિલે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. યશરાજસિંહ […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

અમદાવાદમાં વટવા તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન કરાયું

અમદાવાદ, 20 જાન્યુઆરી 2026:  શહેરના ચંડોળા તળાવ અને ઈસનપુર બાદ વટવા તળાવ વિસ્તારમાં આજે સવારથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાતા અનેક પરિવારો ઘર વિહાણા બન્યા હતા. દરમિયાન ઘર વિહાણો થયેલા રહિશોનો સામાન હાલ […]

મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code