1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટી અને ટાઈફોડ સહિતના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમીમાં વધારા સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. વાયરલ ફીવર, ટાયફોડ. ઝાડા-ઊલટી સહિતના કેસમાં વધારો થયો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 7419 કેસ નોંધાયા હતા. જેમાંથી 811 દર્દીઓને વિવિધ કારણોસર વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ગરમીનું પ્રમાણ વધવાને કારણે વાયરલ ઇન્ફેક્શનના 1216 કેસ નોંધાયા હતા. જ્યારે […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.ની 425 શાળાઓ મોર્નિંગ શિફ્ટમાં કામ કરશે, વિદ્યાર્થીઓને રાહત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એએમસી હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 425 શાળાઓને સવારની શિફ્ટમાં તબદિલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે મ્યુનિની કુલ 449 સ્કૂલમાંથી 425 સ્કૂલોમાં અભ્યાસ કરતા 9 હજાર વિદ્યાર્થીઓને મોર્નિંગ શિફ્ટમાં બોલાવાશે. જો કે પરીક્ષા નજીકમાં છે. અને ત્યારબાદ ઉનાળું વેકેશન પડશે. અમદાવાદ […]

અમદાવાદમાં 100 ટ્રાફિક સિગ્નલો બપોરના ટાણે ધોમધખતા તાપને લીધે બંધ રખાશે

અમદાવાદઃ શહેરમાં એપ્રિલમાં ગરમીનો પારે 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. તાપમાનમાં વધારો થતાં જ શહેરમાં બપોરના ટાણે રોડ-રસ્તાઓ પરના ટ્રાફિકમાં ઘટાડો થયો હોય છે. અસહ્ય ગરમીને કારણે કામ વિના લોકો ઘરની બહાર નિકળતા નથી, પરંતુ રોડ પરના ચાર રસ્તાઓ પર બપોરના ટાણે જ્યારે સિગ્નલો બંધ હોય ઊભા રહેવાને લીધે દ્વીચક્રી વાહનચાલકો અસહ્ય ગરમીમાં શેકાય […]

અમદાવાદમાં ગરમીને લીધે મ્યુનિ.સંચાલિત 15 સ્વિમિંગ પુલોની ત્રણેય બેન્ચમાં લોકોનો ધસારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ ગરમીથી રાહત મેળવવા અને ફીટનેસ પણ જળવાઈ રહે તે માટે  લોકોમાં  સ્વિમિંગ પુલોમાં જવાનો ક્રેઝ વધી રહ્યો છે. શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ સ્વિમિંગ પુલોમાં વહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે.  સાથે જ શહેરના યુવક-યુવતીઓ અને બાળકો પણ તરતા શીખવા માટે સ્વિમિંગ પુલોમાં રજિસ્ટ્રેશન […]

અમદાવાદમાં ફટાકડાની ફેકટરી, ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશન સહિત આગના ત્રણ બનાવો

અમદાવાદઃ શહેરનામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં સરખેજ ધાળકા રોડ પર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડાની ફેકટરી, તેમજ સનાથળ બાવળા રોડ પર આવેલી એક ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં તેમજ રાયપુર દરવાજા પાસે આવેલી બેન્કમાં આગ લાગતા ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના સરખેજ-ધોળકા હાઇવે ઉપર […]

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની અમદાવાદ ખાતે ઉજવણી કરવામાં આવી

31 માર્ચ, 2024, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરવા માટે તેમજ વ્યાપારિક કુશળતા, સિદ્ધાંતવાદી જીવન અને માનવતાવાદી પરોપકાર માટે ટોરેન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (યુ.એન. મહેતા)ને સદાય […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે હીટ સ્ટ્રોકના કેસ વધવાની શક્યતા, સિવિલમાં વોર્ડ શરૂ કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણી પૂનમ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતના સમયે પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દરમિયાન એપ્રિલમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે અમદાવાદના લોકો હીટસ્ટ્રોકનો ભાગ બને તો તેમના માટે શહેરની સિવિલ […]

અમદાવાદમાં આજે IPLની મેચ દરમિયાન સ્ટેડિયમ તરફ જતા ક્યાં રસ્તાઓ બંધ રહેશે, જાણો

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે ત્યારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ આજે સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી  ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મોટેરા જનપથ ત્રણ […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5432 મતદાન મથકોના 26,626 કર્મીઓને તાલીમ આપી ચૂંટણી કામગીરી માટે કરાશે સજ્જ

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 28, 30 અને 1 એપ્રિલના દિવસોમાં ચૂંટણી કામગીરી કરનારા કર્મચારીઓ/અધિકારીઓના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગો વિશે માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટર સુશ્રી રિદ્ધિ શુક્લએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં […]

અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 70,000ને વટાવી ગયો, જ્વેલર્સ કહે છે, હજુ પણ ભાવ વધશે

અમદાવાદઃ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસમાં વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા તેમજ ફગાવો વધતા સોનાના ભાવ રૂપિયા 70,000ની વિક્રમજનક લેવલ તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં સોનાએ અસાધારણ પર્ફોમન્સ રજૂ કર્યું છે. અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું (99.9) 10 ગ્રામનો ભાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code