1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં 23મી સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી પૂનમના મેળાના આયોજન માટે બેઠક મળી

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને દોઢેક મહિનો બાકી રહ્યો છે. ત્યારે તેના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે આરાસુરી […]

અંબાજીમાં 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પુનમના મેળા અંગે બેઠક યોજાઈ

પાલનપુરઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપાઠ ગણાતા અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે. ભાદરવી પૂનમે માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં પદયાત્રિકો પણ પણ દર્શન માટે આવે છે. ભાદરવી પૂનમના મેળામાં 5 લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. પણ આ વર્ષે વધુ ભાવિકો આવવાની શક્યતા છે. ત્યારે વહિવટી […]

અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષએ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડ બોલનું વિતરણ કરી આ […]

બિપરજોય વાવાઝોડાને લીધે યાત્રાધામ અંબાજીમાં રોપ-વે ચાર દિવસ બંધ રહેશે

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે સરકારે અનેક આગોતરા પગલાં લીધા છે. ભીડભાડવાળા સ્થળોએ વધુ તકેદારી રાખવા પણ જિલ્લા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ગબ્બર પર રોપ-વેની સુવિધા વાવાઝોડાને ધ્યાને રાખી ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા […]

 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે

અમદાવાદ: પ્રવકતા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, 5 જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ‘વન કવચ’ થીમ પર અંબાજી ખાતે કરાશે. કાર્યક્રમ દરમિયાન 10 ,000 જેટલા વૃક્ષો વવાશે અને ડ્રોન દ્વારા બીજની વાવણી સંદર્ભે પણ ખાસ કાર્યક્રમ યોજશે. મંત્રી પટેલે ઉમેર્યું કે, આ ઉજવણીમાં અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ […]

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને અંબાજીમાં શ્રદ્ધાળું ઉમટી પડ્યાં, અંબેના જયઘોષ સાથે મંદિર ગુંજી ઊઠ્યુ

અંબાજીઃ માતાજીની પૂજા-અર્ચના અને ભક્તિ- શક્તિના પર્વ ગણાતા ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે  મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.  ચૈત્રી નવરાત્રી દરમિયાન દૂર દૂરથી માઈભક્તો માતાજીના દર્શનાર્થે  આવતા હોય છે. અને  મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ […]

અંબાજીમાં હવે ચિક્કી અને મોહનથાળ બન્ને પ્રસાદ અપાશે, ભક્તોની લાગણીનો થયો વિજય

ગાંધીનગરઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે વિરોધ વ્યાપક બની રહ્યો હોવાથી રાજ્ય સરકારે ચિક્કી સાથે મોહનથાળનો પ્રસાદ આપવાની તૈયારી દર્શાવી છે, રાજ્ય સરકારે  મધ્યસ્થી કરીને ફરી એક વખત અંબાજીના મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ભકતોને મળે તે સુનિશ્ર્ચિત કર્યુ છે. જો કે ચીકકીનો પ્રસાદ પણ યથાવત રહેશે અને શ્રદ્ધાળુઓને કયો […]

અંબાજી તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 12મીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ગબ્બર શક્તિ પીઠ તળેટીમાં આકાર પામેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની ઉજવણી આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન કરાશે.  જેની તૈયારી અને આયોજનના ભાગરૂપે અંબાજીમાં એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં અંબાજીના સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી […]

અંબાજીમાં ટેક્સ ન ભરનારા પ્રોપર્ટીધારકો સામે ઝૂંબેશ, 800 જેટલા બાકીદારો સામે કડક કાર્યવાહી

અંબાજીઃ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો આર્થિક તંગીનો સામનો કરી રહી છે. તેથી વર્ષોથી બાકી ટેક્સધારકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. અંબાજીમાં 800થી વધુ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકીદારોને નોટિસ ફટકારી મિલકત પણ સીલ કરી વેરા વસુલાત કરવામાં […]

અંબાજીમાં શંભુ પંચ દશનામ અખાડાના સાધુ સંતોની શોભાયાત્રા નીકળી, કોટોશ્વરમાં શાહી સ્નાન કર્યું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે  શ્રી શંભુ પંચ દશનામ આવાહન અખાડા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, નાગા બાવાઓ સહિતના ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી. ભવ્ય શોભાયાત્રામાં સાધુ સંતો અને નાગાબાવાઓ વિશાળ સંખ્યામાં હાથોમાં ધજાઓ લઈને નાચતા ગાતા અને હર હર ભોલેના નાદ સાથે અંબાજીના ગામમાં ઉત્સાહપૂર્વક શોભાયાત્રા કાઢવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code