1. Home
  2. Tag "ambaji"

અંબાજીમાં અકસ્માત,બસ પલટી જતા યાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેસાણા: અંબાજી દર્શન માટે યાત્રીઓથી ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડ્યો, આ ઘટનામાં બસ પલટી મારી ગઈ હતી. જાણકારી અનુસાર બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કે બસની […]

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે તા. 23મી સપ્ટેમ્બરથી રંગેચંગે પ્રારંભ થશે. પરગામથી અનેક યાત્રાળુ સંઘો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ વખતે લાખો લોકો માતાજીના દર્શન માટે ઉમટી પડવાની શક્યતા હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી અંબાજીના વિવિધ માર્ગો […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ટ્રાફિકને પહોંચી વળવા એસટીની 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ: પ્રસિદ્ધ અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાને હવે બે દિવસ બાકી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો ઉમટી પડવાની શક્યતા છે. પગપાળા સંઘોએ અંબાજી જવા માટે પ્રયાણ કરી દીધુ છે. આ વખતે 10 લાખથી વધુ ભાવિકો અંબાજીના મેળામાં ઉમટી પડે તેવી શક્યતાને લીધે યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી […]

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે તમામ રસ્તાઓ પર વાહનો માટે ડાયવર્ઝન અપાયા

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 23મી સપ્ટેમ્બરથી 29મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ અને સંઘો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આથી પગપાળા સંઘો અને દર્શન માટે આવતા ભાવિક ભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં […]

ભાદરવી પૂનમઃ અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ માટે 4 મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે

ગાંધીનગર : ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો […]

અંબાજીમાં હવે VIP દર્શન બંધ, શ્રીમંત હોય કે ગરીબ, લાઈનમાં ઊભા રહીને દર્શન કરી શકાશે

પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં વીઆઈપી દર્શનના મુદ્દે વિવાદ ઊભો થતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી વીઆઈપી દર્શનની પ્રથા બંધ કરવામાં આવી છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, બધાએ લાઈનમાં ઊભા રહીને જ માતાજીના દર્શન કરી શકશે. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયની યાત્રિકોમાં સરાહના થઈ હી […]

અંબાજીના બેડાપાણીના જંગલમાં આદિવાસીઓના 19 ઘર તોડી પડાતાં પોલીસ સ્ટેશનને ઘેરાવ કરાયો

અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક પહાડી અને જંગલ વિસ્તાર આવેલો છે. જેમાં બેડીપાણીના જંગલ તરીકે ઓળખાતા વિસ્તારમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે હોવાનું કહીને આધિવાસીઓના 19 મકાનો તોડી પાડ્યા હતા. આ બનાવ બાદ આદિવાસીઓએ આજુબાજુના ગામોમાં ઢોલ વગાડીને તેમના સમાજના લોકોને ભેગા કરીને અંબાજી પોલીસ સ્ટેશન સામે મોરચો માંડતા વાતાવરણ તંગ બનતા ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈને જિલ્લાભરની […]

અંબાજીના ભાદરવી પુનમના મેળા માટે પગપાળા સંઘો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લાભ મેળવી શકશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23થી 29 સપ્ટેમ્બર-2023 દરમિયાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પદયાત્રી […]

અંબાજીના ગબ્બર પર્વતમાં દીપડાને પકડવામાં વન વિભાગ હાંફી ગયું, દીપડો રાજસ્થાન નાસી ગયો

અંબાજીઃ સુપ્રિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા જગતજનની અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. અને ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠનો લાભ પણ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી […]

અંબાજીમાં ગબ્બરના પર્વત પર દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ, દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

અંબાજીઃ  સુપ્રસિદ્ધ ગણાતા શક્તિપીઠ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં માઈભક્તો  જગતજનની અંબાના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર પર આવેલા 51 શક્તિપીઠમાંના દર્શનનો લાભ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો છે. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code