1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ટ્રાફિકને પહોંચી વળવા એસટીની 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ટ્રાફિકને પહોંચી વળવા એસટીની 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ટ્રાફિકને પહોંચી વળવા એસટીની 1000 એક્સ્ટ્રા બસો દોડાવાશે

0
Social Share

અમદાવાદ: પ્રસિદ્ધ અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાને હવે બે દિવસ બાકી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો ઉમટી પડવાની શક્યતા છે. પગપાળા સંઘોએ અંબાજી જવા માટે પ્રયાણ કરી દીધુ છે. આ વખતે 10 લાખથી વધુ ભાવિકો અંબાજીના મેળામાં ઉમટી પડે તેવી શક્યતાને લીધે યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી તરફ જતા તમામ રસ્તોઓને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે.  અંબાજીમાં પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ સજ્જ બન્યુ છે. અંબાજીથી વધારાની 1000  એક્સ્ટ્રા બસો દોડાવાશે. એસટી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્ધારા અંબાજી સુધી 1000 એકસ્ટ્રા બસો દોડાવાશે. એ સિવાય અંબાજીથી ગબ્બર સુધી જવા માટે 20 મિની બસો પણ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષ નિમિત્તે ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મોટો મેળો ભરાય છે અને સમગ્ર ગુજરાતમાંથી લાખો માઈભક્તો અંબાજી દર્શન માટે ઊમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ એસટી નિગમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસો દોડાવશે. એસટી નિગમ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન 1 હજાર એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય 20 મિની બસ અંબાજીથી ગબ્બર સુધી જવા માટે મૂકવામાં આવશે. એ સિવાય દાંતાથી અંબાજી જવા પણ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ગયા વર્ષે ભાદરવી પૂનમના પર્વ પર જીએસઆરટીસીએ 600 એકસ્ટ્રા બસ દોડાવી હતી, જેનો 11 લાખ મુસાફરોએ લાભ લીધો હતો.

અમદાવાદમાંથી ભક્તોના ધસારાને ધ્યાને રાખી ખાસ એસટી બસો વિવિધ રૂટ્સ પર દોડાવાશે. તમામ બસનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. સાથે-સાથે મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કોઈ બસ ઓવરલોડ ન જાય તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે. અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઈક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરથી મોબાઈલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

બનાસકાંઠા એસટી ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  અંબાજીમાં ભક્તો માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે-સાથે ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ, ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થા, બેનર, હોર્ડિંગ્સ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર વ્યવસ્થા માટે ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના 1000થી વધુ કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત રહેશે.
ગત વર્ષે 11 લાખ મુસાફરોએ લાભ લીધો હતો અને ચાલુ વર્ષે GSRTC 23થી 29 સપ્ટેમ્બર સુધી 1000 બસ એક્સ્ટ્રા ટ્રીપ ગોઠવાશે. આ સિવાય 20 મીની બસ અંબાજીથી ગબ્બર સુધી મુકવામાં આવશે. દાંતાથી અંબાજી જવા માટે પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code