1. Home
  2. Tag "ambaji"

યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પુનમના લીધે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં, મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી. ચાચરચોક નજીક આવેલા યજ્ઞશાળામાં પણ ભાવિકોએ હવનના દર્શન કર્યા હતા. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા યોગ્યરીતે જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી. ચૈત્રી […]

શક્તિપીઠ અંબાજીમાં આજે ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, મંદિરના શિખરે ધજાઓ ચડાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરમાં રોજબરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જેમાં ચૈત્રી પૂનમના માતાજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. આજે ચૈત્રી પુનમનો દિન હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ઘણા યાત્રિકો સોમવારે અંબાજી પહોંચી ગયા છે. ચૈત્રી પૂનમના દિને મંદિરના શિખર પર ધજાઓ ચડાવાશે યાત્રાધામ અંબાજીમાં […]

અંબાજીમાં ચૈત્રી નવરાત્રિની આઠમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ચાચર ચોકમાં હવન કરાયો

અંબાજીઃ ચૈત્રી નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનું પર્વ ગણાય છે. ત્યારે શક્તિપીઠ ગણાતા અંબાજીમાં દર્શન માટે  ચૈત્રી નવરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભાવિકો  જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. ચૈત્રી નવરાત્રિની આઠમ દિવસે હોમહવનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે  મંદિરના ચાચર ચોકમાં હવનનું પણ આયોજન કરાયું હતું. […]

અંબાજી ખાતે “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો શુભારંભ

અમદાવાદઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 મી ફેબ્રુઆરી સુધી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ “શ્રી 51 […]

અંબાજીઃ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

અમદાવાદઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા […]

અંબાજીમાં અંબિકા અન્નક્ષેત્રમાં ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ અપાશે

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારીમંત્રી અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે નિઃશુલ્ક અંબિકા અન્નક્ષેત્રનો બલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો. અંબિકા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં મંત્રીએ જણાવ્યું કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ […]

અંબાજીના કોટેશ્વર મહાદેવજીના મંદિર મીની કુંભ, સાધુ-સંતોએ સરસ્વતી કુંડમાં કર્યું શાહીસ્નાન

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં કોટેશ્વર મહાદેવજીના મંદિર નજીક મીની કુંભ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો એકઠા થયા હતા. છેલ્લા 5 દિવસથી ચાલતા કાર્યક્ર્મની સોમવારે સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાનથી પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો  સાધુ – સંતોના દર્શન, સેવા અને આશીર્વાદ લેવા આવ્યાં હતાં. અંબાજી ખાતે કોટેશ્વર મંદિરના પટાગણમાં મીની કુંભનું આયોજન […]

અંબાજીમાં ગુજરાત આચાર્ય સંઘનું 52મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશન યોજાયું

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 52માં અધિવેશનનો શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિતમાં પ્રારંભ કરાયો હતો. જેમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો આચાર્યોનો રહેલો છે. ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓને સિધ્ધ કરી રહ્યો છે. 2047 સુધી વિકસિત ભારત બનાવવા […]

યાત્રાધામ અંબાજીનો રૂપિયા 2000 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે, ‘ જય મા કોરીડોર’ બનાવાશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્તરીતે આયોજન કર્યું છે. જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજી માતાજીના મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસના વિસ્તારના વિકાસના વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. જેનો ડેવલપપ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગની અડધો ડઝન સ્કીમ તૈયાર કરવામાં આવી […]

ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો બે મહિના પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી આપશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code