1. Home
  2. Tag "ambaji"

ગુજરાત:કોરોનાને કારણે 31 જાન્યુઆરી સુધી અંબાજીના દર્શન બંધ

યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય 31 જાન્યુઆરી સુધી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય બનાસકાંઠા : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની ત્રીજી લહેરમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ગુજરાતમાં પણ પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને પગલે યાત્રાધામ અંબાજી મંદિરને 31 જાન્યુઆરી સુધી મંદિરમાં […]

કોરોનાના કેસ વધતા સુપ્રસિદ્ધ મંદિરો દ્વારકાધિશ, અંબાજી, બહુચરાજી દર્શનાર્થીઓ માટે સપ્તાહ સુધી બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને રોકવા માટે દર્શનાર્થીઓ માટે મંદિરો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે. જેમાં દ્વારકાધિશ, અંબાજી, શામળાજી, બહુચરાજી સહિત સહિત મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જગત મંદિર એવા દ્વારકાધિશના મંદિરમાં પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. અને જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી હોય, […]

અંબાજીમાં ગબ્બર રોપવે મેઈન્ટેનન્સને લીધે કાલે સોમવારથી શનિવાર સુધી બંધ રહેશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે.અંબાજીમાં આવેલા ગબ્બરના દર્શનને લઈને ભક્તોમાં અનોખી આસ્થા રહેલી છે. અહીં પગપાળા અને રોપ-વે દ્વારા ભક્તો ગબ્બર પર માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે. પરંતુ રોપ-વેની મેઈન્ટેનન્સ કામ શરૂ કરવાનું હોવાથી આગામી 6 દિવસ માટે રોપ-વેની સેવા બંધ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અંબાજી મંદિરના ચાચર રોકમાં અંતિમ નોરતે શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી

અમદાવાદઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન નવરાત્રીના અંતિમ દિવસે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવી હતી. આદ્યશકિતની આરાઘનાનાં પર્વ નવરાત્રિના નવમા અને છેલ્લાં નોરતે યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા ગરબામાં રાજ્ય […]

શક્તિપીઠ અંબાજીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ગાષ્ટમીના દિને માતાજીની પૂજા અર્ચાના કરી

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં આજે દુર્ગાષ્ટમીના દિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબા માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોની સુખાકારી વધે તે માટે માતાજીના આશીર્વાદ લીધા હતા. અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.  મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા. અંબાજી મંદિરમાં આજે દુર્ગાષ્ટમીના દિને માતાજીના દર્શનનો મહિમા હોવાથી […]

અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ છે. ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો છે પણ મંદિર ભાવિકોના દર્શન માટે ખુલ્લુ રહેશે. શક્તિપીઠ ગણાતા અંબાજીમાં માં અંબેનું મૂળ સ્થાન 51 શક્તિપીઠમાનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને […]

અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ – ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે

અંબાજીના મંદિરમાં ભક્તોની મોટી ભીડ ભક્તોનો એક જ નાદ – જય અંબે જય અંબે બનાસકાંઠા :ભાદરવી પૂનમના રોજ તો ગુજરાતના બનાસકાંઠામાં આવેલા માતા અંબેના મંદિરે દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ જામે છે. આ દિવસના રોજ માતા અંબાજીના મંદિરમાં મંગળા આરતી થતી હોય છે અને તેમાં ભક્તોની લાંબી કતારો લાગે છે. જાણકારી અનુસાર આરાસુરી અંબાજી માતા […]

અંબાજીના માર્ગો પર પદયાત્રિઓની વણઝાર, ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભાવિકો આવી રહ્યા છે

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમે માતાજીના દર્શનું વિશેષ મહાત્મય છે.શક્તિપીઠ અંબાજીમાં ભાદરવીપૂનમનો મેળો રદ્દ કરાયો હોવા છતાં શ્રદ્ધાળુઓના મેળાવડાની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજીમાં ભાદરવીપૂનમને ગણતરીના  દિવસ બાકી છે. ત્યારે અંબાજી જતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. જાણે 20 કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની માનવસાંકળ સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલુંજ નહીં અંબાજી પંથકમાં છુટો […]

અંબાજી નજીક પૂરફાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનની અડફેટે ત્રણ પદયાત્રીનાં મોત

અંબાજી :  રાજ્યમાં રોજબરોજ રોડ અકસ્માતો વધતા જાય છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. અંબાજીમાં પગપાળા જતા યાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારીને ફરાર થયો હતો. આ ઘટનામાં ત્રણ પદયાત્રીના મોત નિપજ્યા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને પલાયન થઈ ગયેલા વાહન ચાલકને પકડવા તજવીજ હાથ ધરી […]

અંબાજીના ભાદરવી પુનમના મેળાને આખરે રદ કરવાનું નોટિફિકેશન જાહેર કરાયું

રાજકોટઃ  રાજયના ગૃહવિભાગ દ્વારા આ વર્ષે અંબાજીનો ભાદરવી પુનમનો મેળો રદ કરાયો છે તથા આગામી તા.25 સુધી અંબાજી મંદિર બંધ રાખવાની જાહેરાત થતા માઇ ભકતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. અનેક સંસ્થાઓએ અંબાજી જતા માર્ગો પર ભંડારાની વ્યવસ્થા કરી છે પરંતુ ભાદરવી પુનમનો મેળો રદ થતા નિરાશા વ્યાપી ગઇ છે. ગૃહ વિભાગની સૂચના અનુસાર અંબાજી જતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code