1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો
અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો

અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો

0
Social Share

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. સતત બીજા વર્ષે પણ ખેલૈયાઓનું સપનું રોળાયુ છે. ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈ પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી રખાયો છે પણ મંદિર ભાવિકોના દર્શન માટે ખુલ્લુ રહેશે. શક્તિપીઠ ગણાતા અંબાજીમાં માં અંબેનું મૂળ સ્થાન 51 શક્તિપીઠમાનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે, અને જેના નામના ગરબા સમગ્ર ભારત ભરમાં ગવાય છે ને રમાય છે. આસોસુદની નવરાત્રી ની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે નવરાત્રિને કોરોનાનું ગ્રહણ બીજા વર્ષે પણ યથાવત રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે 400 માણસો સુધીની પરવાનગી આપી છે પણ શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમાં હજારોની મેદની એકત્ર થાય તો  કોરોનાનું સંક્ર્મણ ફેલાવાની શક્યતા રહેલી હોવાથી છેલ્લા 60 વર્ષથી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન કરતુ નવયુવક પ્રગતિ મંડળ આ વખતે સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધો છે.

અંબાજી મંદિર ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ ભલે મુલતવી રખાયો હોય પણ નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે ને રાબેતા મુજબ દર્શન આરતી ના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે, પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટ સ્થાપન કરી, જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે. જોકે ગતવર્ષે કોરોના મહામારીને લઈ ગરબાના કાર્યક્રમ સહિત મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું પણ ચાલુ વર્ષે કોરોના મહામારી માં થોડી રાહત થતા દર્શનાર્થીઓ માટે મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે પણ ખેલૈયાઓ આ વર્ષે પણ માતાજીના ચોકમાં ગરબાનો આનંદ નહીં માણી શકે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code