1. Home
  2. Tag "Amreli district"

અમરેલી જિલ્લામાં સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણનું મોત

ધારાસભ્યએ વનમંત્રીને પત્ર લખીને તપાસની માગ કરી, માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે ત્રણ સિંહબાળના મોતને લીધે વન વિભાગની બેદરકારી સામે સવાલો ઊઠ્યા છે. સિંહોના મોતની ઘટનાઓ વધતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્રણ-ત્રણ સિંહબાળના મોતના સમાચાર […]

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને લીધે શેત્રુંજી સહિત નદીઓમાં પૂરની સ્થિતિ

બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પૂર આવ્યું, રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલીમાં ધોધમાર વરસાદ પડ્યો, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં હર્ષની લાગણી અમરેલીઃ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુંકાવાવ, અમરેલી સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ […]

ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા 339થી વધુ

શેત્રુંજી નદીના પટમાં વનરાજોને શિકાર અને પાણી પણ મળી રહે છે, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં 125 સિંહનો વસવાટ, રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારમાં 94 સિંહનો વસવાટ અમરેલીઃ રાજ્યના વન વિભાગ દ્વારા તાજેતરમાં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહની વસતી વધીને 891 થઈ છે, સિંહનો ગીરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વસવાટ જોવા મળ્યો છે. […]

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેસર કેરીના પાકને ભારે નુકસાન

વાવાઝોડ સાથે માવઠું પડતા આંબા પરથી કેરીઓ ખરી પડી આ વખતે ફ્લાવરિંગ સારૂ આવતા સારા ઉત્પાદનની ખેડૂતોને આશા હતી માવઠાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અમરેલીઃ જિલ્લામાં વૈશાખે અષાઢી માહોલ સર્જાયો છે, જિલ્લામાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. પવન સાથે જોરદાર કરા અને વરસાદ […]

અમરેલી જિલ્લામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત

બાબરા હાઈવે પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાતાં આગ લાગી, ચાલકનું મોત રાજુલા નજીક હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત પોલીસે અકસ્માતના બન્ને બનાવોમાં ગુનોં નોંધી તપાસ હાથ ધરી   અમરેલીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં બાબરા-અમરેલી રોડ પર અને રાજુલા હાઈવે પર જુદા જુદા અકસ્માતના બે બનાવોમાં બેના મોત […]

અમરેલી જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 40 ઓવરલોડ વાહનો જપ્ત કરાયા

જિલ્લા કલેકટરની સુચનાથી પ્રાંત અધિકારીઓએ એક જ દિવસમાં કરી કાર્યવાહી ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો ખાણ-ખનીજ વિભાગ અને પોલીસને પણ જાણ કરાઈ અમરેલીઃ જિલ્લામાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવી રહી છે. જિલ્લાના રસ્તાઓ પર કપચી, માટી, રેતી અને પથ્થરો ભરેલા ઓવરલોડ વાહનો સામે કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે આ અંગે ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટરે તમામ […]

અમરેલી જિલ્લામાં 3.7ની તિવ્રતાનો ભૂંકેપનો આંચકો, લોકો ઘરની બહાર દોડી ગયા

ધારીથી 16 કિમી દુર જીરા અને ડાભાળી વચ્ચે 2 કિમીની ઉંડાઇ પર કેન્દ્રબિંદુ, ગ્રામજનો કહે છે, ભેદી અવાજ બાદ ધરા ધ્રૂજી, સદભાગ્યે કોઈ નુકસાની કે જાનહાની નહીં  અમરેલીઃ  જિલ્લામાં ભૂકંપનો આચકો આવતા ધારી સહિતના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગઈકાલે સાંજના 5:18 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 3.7ની તિવ્રતાનો ભૂકંપ આવતા ભેદી અવાજ સાથે […]

અમરેલી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક

કપાસના પાકના સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ, બાબરા અને સાવરકુંડલા યાર્ડમાં 60 હજાર મણની આવક, અમરેલી યાર્ડ પણ કપાસથી ઊભરાયું અમરેલી:  જિલ્લામાં આ વર્ષે કપાસનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. અને જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ્સમાં કપાસની આવક શરૂ થઈ છે. યાર્ડ્સમાં કપાસના ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 1600 ઉપજતા ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે.યાર્ડ્સમાં […]

વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ: અમરેલી જિલ્લામાં 11.27 કરોડના 5 MOU થયા

અમરેલી: રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ અમરેલી કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B […]

અમરેલી જિલ્લામાં 114.86 એકર જમીનમાં 75 અમૃત સરોવરઃ શનિવારે CM, રાજ્યપાલ મુલાકાત લેશે

ગાંધાનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code