1. Home
  2. Tag "AMTS"

અમદાવાદમાં રૂપિયા 60ના ભાડામાં 19 મંદિરોની યાત્રા હવે AMTS કરાવશે

અમદાવાદઃ શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે. એટલે જ તમામ મંદિરોમાં ભાવિક-ભક્તોની સારીએવી ભીડ જોવા મળતી હોય છે. અમદાવાદ શહેરમાં અનેક મંદિરો આવેલા છે, તેમાં કેટલાક મંદિરોમાં દર્શનનું સવિશેષ મહાત્મય છે. પણ ઘણા ભાવિકો મંદિરો જુદા જુદા વિસ્તારોમાં આવેલા હોવાથી તમામ મંદિરોમાં દર્શનનો લાભ લઈ શક્તા નથી. તેથી એએમટીએસ  દ્વારા […]

અમદાવાદ: લાલદરવાજાનું ઐતિહાસિક AMTS બસ સ્ટેન્ડ નવા હેરિટેજ લૂક સાથે કરાશે તૈયાર

અમદાવાદઃ શહેરના હાર્દસમા લાલદરવાજાના ઐતિહાસિક એએમટીએસના બસ સ્ટેન્ડને નવો હેરિટેજ લૂક આપીને તૈયાર કરાશે. લાલ દરવાજા આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને એક વર્ષમાં એટલે કે વર્ષ 2022ના […]

અમદાવાદ : BRTS-AMTSમાં માત્ર 10 ટકા જ ટ્રાફિક જોવા મળ્યો, અઠવાડિયામાં સ્થિતિ સામાન્ય બનશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. કોરોના પહેલા સામાન્ય દિવસમાં બંને બસ સેવામાં રોજના સરેરાશ 7.75 લાખ લોકો મુસાફરી કરતા હતા. જ્યારે સોમવારે એએમટીએસ-બીઆરટીએસને મળીને 72 હજાર પેસેન્જર મળ્યા હતા. જે સામાન્ય દિવસોના પેસેન્જરની સંખ્યાના માંડ 10 ટકા છે. આ ઉપરાંત સોમવારથી સ્કૂલો અને […]

AMTS અને BRTSના ડ્રાઈવરો, કંડકટરો માસ્ક ન પહેરે તો માત્ર 200 રૂપિયા દંડ વસુલાશે

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન 81 દિવસ પછી ફરી એકવાર આવતીકાલ સોમવારથી એએમટીએસ અને બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, આ જાહેરાતની સાથે એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ […]

એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા હવે તા. 1લી જુનથી ચાલુ કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ઘટતા જાય છે. ત્યારે સરકાર પણ કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હજુ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી જોકે અગાઉ તા. 28મીમેથી શહેરી બસ સેવા શરૂ કરાશે એવી જાહેરાત કરવામાં આવી હતી.પણ કોઈ કારણસર બસ સેવા પુનઃ રાબેતા મુજબ કરી શકાય નથી. હવે એવું […]

અમદાવાદના માર્ગો ઉપર સવા બે મહિના બાદ ફરી દોડશે AMTS અને BRTS

અમદાવાદઃ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ સામે આવતા સંક્રમણ ફેલતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી તા. 28 મીથી ફરી AMTS અને BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારની […]

અમદાવાદમાં AMTS સેવા બંધ થતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 1200 ડ્રાઈવર-કંડક્ટરોની કપરી સ્થિતિ

અમદાવાદઃ  રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાતા સરકાર દ્વારા આગામી 12 મે સુધી આશિંક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  બીજીતરફ અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી AMTS બસ સેવા બંધ કરી દેતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ડ્રાઈવર તેમજ કંડક્ટરો બેરોજગાર બન્યા છે. 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોએ AMC પાસે અન્ય કોઈ કામગીરી આપવા માટે માંગ કરી છે રાજ્યમાં […]

કોરોનાનું ગ્રહણ AMTSને લાગ્યુઃ કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ જાહેર પરિવહન સેવા બીઆરટીએસ અને એએમટીએસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ગઈ 18મી માર્ચથી મ્યુનિ. બસ સેવા સદંતર બંધ કરવામાં આવી છે. પરિણામે લાખો બસ પ્રવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા 15 દિવસથી બસ સેવા બંધ રહેતા મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસને કુલ રૂ. […]

કોરોનાને પગલે AMTS અને BRTS બંધઃ 15 દિવસમાં રૂ. 4.50 કરોડનું નુકશાન

મનપાને રોજનું અંદાજે 30 લાખનુ નુકશાન તા. 18મી માર્ચથી પરિવહન સેવા બંધ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે મુસાફરો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિથી વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુનો પણ અમલ કરવામાં આવી […]

અમદાવાદમાં AMTSના લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક અપાશે

અમદાવાદઃ કોર્પોરેશનના એએમટીએસનું આજે રૂ. 523 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં બજેટમાં રૂ. 20 કરોડનો બધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પ્રવાસીઓ ઉપર કોઈ વધારો બોજ નાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત એએમટીએસના લાલ દરવાજા ટર્મિનસને હેરીટેજ લુક આપવામાં આવશે. આ ઉપરાંત કેટલાક બસ સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code