1. Home
  2. Tag "army"

ઉત્તરાખંડ: સૈન્ય અને SDRFએ 6,015 મીટરની ઉંચાઈએ ફસાયેલ વિદેશી પર્વતારોહકનું રેસ્ક્યૂ

નવી દિલ્હીઃ સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા. બે પર્વતારોહકો 11 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી ચૌખંભા-તીન પર્વત પર પર્વતારોહણ […]

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા સેનાને હવાલે કરાઈ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું હતું અને આ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલી વધી, સેનાએ ગેરકાયદેસર રાજકીય માફિયા ગણાવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સેનાની મજબૂત પકડ અને સત્તાધારી સંસ્થા સાથે તેની રાજકીય સાંઠગાંઠ ફરી એકવાર સામે આવી છે. પાકિસ્તાન સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત અનેક પ્રાંતોમાં ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકમ દ્વારા નવેસરથી સક્રિય અને આતંકવાદ વિરોધી કામગીરી શરૂ કરવા માટે સેનાને મંજૂરી આપી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) આનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. સેનાએ પણ […]

રશિયન આર્મીમાં કામ કરી રહેલા 50 ભારતીયોને સ્વદેશ પાછું ફરવું છે, ભારત સરકાર પાસે માંગી મદદ

રશિયન આર્મીમાં કામ કરતા લગભગ 50 ભારતીય નાગરિકો હવે દેશમાં પાછા ફરવા માંગે છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે (19 જુલાઈ 2024) આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 50 ભારતીય નાગરિકોએ ભારતીય અધિકારીઓનો સંપર્ક કરીને તેમને રજા અપાવવામાં મદદ માંગી છે. બંને દેશો આ મામલાના ઉકેલ માટે કામ કરી રહ્યા […]

પીર પંજાલની દક્ષિણી ટેકરીઓમાં સેનાએ ઓપરેશન ‘સર્પન્ટ ડિસ્ટ્રક્શન’નો આરંભ

નવી દિલ્હીઃ પીર પંજાલની દક્ષિણી પહાડીઓમાં સુરંગ અને ગુફાઓ વિશાળ ખડકોથી બનેલી છે, જેનો ઉપયોગ 90ના દાયકામાં સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતો હતો. ત્યારબાદ સેનાએ મોટી સંખ્યામાં તૈનાત કરીને અહીંથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી દીધો હતો. તે સમયે અહીં એન્ટી ટેરરિસ્ટ ગ્રીડ બનાવવામાં આવી હતી પરંતુ તેને ખતમ કર્યા બાદ હટાવી […]

જમ્મુ- કાશ્મીર: ડોડા જિલ્લાના ગંડોહમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહમાં સૈન્યએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ ગંડોહ ગામમાં આતંકવાદી હોવાની ગુપ્ત માહિતીને આધારે સેના, સીઆરપીએફ તેમજ સ્થાનિક પોલીસે ઘેરાબંદી કરીને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી બહોળા પ્રમાણમાં હથિયાર અને દારૂ ગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોડો જિલ્લામાં […]

પાકિસ્તાનની સરકારમાં સેના અને ISIની દખલગીરી બંધ થશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિશે કહેવાય છે કે સેના અને સત્તા એક સિક્કાની બે બાજુ છે. આ જ કારણ છે કે સેનામાં સત્તાની ઝલક જોવા મળે છે, જો કે હવે શાહબાઝ સરકારે આર્મી અને આઈએસઆઈની દખલગીરી રોકવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય અને જાહેર બાબતોના વડા પ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક મિકેનિઝમ બનાવવા માટે હાકલ […]

સેનાએ શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય સાથે સર્વગ્રાહી કૌશલ્ય પ્રમાણપત્રની પ્રક્રિયા શરૂ કરીઃ આર્મી ચીફ

અમદાવાદઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ નવી દિલ્હીના માણેકશો સેન્ટરમાં આર્મી વેલ્ફેર પ્લેસમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ દેશની સમૃદ્ધિમાં ભૂતપૂર્વ સૈનિકોના અમૂલ્ય યોગદાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સૈન્ય જીવનને અલવિદા કહ્યા પછી, રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવાઓ સમાપ્ત થતી નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર […]

શ્રીલંકામાં કાર રેસિંગ ઈવેન્ટ દરમિયાન દર્શકોની ભીડમાં કાર ઘુસી,, 7ના મોત

બેંગ્લોરઃ શ્રીલંકાના ઉવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જ્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત સાતેક લોકોના મોત થયા છે જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર કાબૂ બહાર જતાં, ટ્રેક પરથી ઉતરી પ્રેક્ષક ગેલેરીમાં […]

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે NCCના વિસ્તરણને આપી મંજૂરી, બનશે વિશ્વનું સૌથી મોટું વર્દીધારી યુવા સંગઠન

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીના વિસ્તરણને મંજૂરી આપી છે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ એનસીસીમાં ત્રણ લાખ કેડેટ્સને સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આશા છે કે આ વિસ્તારથી દેશભરના શૈક્ષણિક સંસ્થાનોમાં એનસીસીની વધતી માંગને પૂર્ણ કરી શકાશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ત્રણ લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code