Homeગુજરાતીપાકિસ્તાનની સરકારમાં સેના અને ISIની દખલગીરી બંધ થશે!

પાકિસ્તાનની સરકારમાં સેના અને ISIની દખલગીરી બંધ થશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિશે કહેવાય છે કે સેના અને સત્તા એક સિક્કાની બે બાજુ છે. આ જ કારણ છે કે સેનામાં સત્તાની ઝલક જોવા મળે છે, જો કે હવે શાહબાઝ સરકારે આર્મી અને આઈએસઆઈની દખલગીરી રોકવાની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય અને જાહેર બાબતોના વડા પ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક મિકેનિઝમ બનાવવા માટે હાકલ કરી છે જેથી સંસ્થાઓ એકબીજાના અધિકારક્ષેત્રમાં દખલ ન કરે. વાસ્તવમાં, તેમનું નિવેદન ન્યાયાધીશોએ એક પત્ર લખ્યા પછી આવ્યું છે, જેમાં ન્યાયિક કામમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા કથિત હસ્તક્ષેપની વાત કરવામાં આવી હતી.

સનાઉલ્લાહે એક મીડિયા ચેનલના શોમાં કહ્યું કે, ‘જજો દ્વારા પત્ર લખવો એ એક મિકેનિઝમ વિકસાવવા માટે પૂરતું છે જેથી સંસ્થાઓ એકબીજાના ક્ષેત્રમાં દખલ ન કરે.’ અહેવાલ મુજબ, રાણાએ આ ટિપ્પણી ઈસ્લામાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશોના એક પત્રના સંદર્ભમાં કરી છે જે માર્ચમાં સામે આવ્યો હતો, જેમાં ન્યાયિક મામલામાં ગુપ્તચર એજન્સીઓની દખલગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)ના ન્યાયાધીશો જસ્ટિસ મોહસિન અખ્તર કિયાની, જસ્ટિસ તારિક મહમૂદ જહાંગીરી, જસ્ટિસ બાબર સત્તાર, જસ્ટિસ સરદાર ઈજાઝ ઈશાક ખાન, જસ્ટિસ અરબાબ મુહમ્મદ તાહિર અને જસ્ટિસ સામન ફફાત ઈમ્તિયાઝે 26 માર્ચે સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલને પત્ર મોકલ્યો હતો. જેમાં ન્યાયિક બાબતોમાં ગુપ્તચર એજન્સીઓની કથિત દખલગીરી અંગે ન્યાયિક પરિષદ બોલાવવા અનુરોધ કરાયો હતો.

રાણા સનાઉલ્લાહે કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર દરમિયાન પીએમએલએન વાતચીતની રાહ જોતી રહી હતી. તેમણે કહ્યું કે પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાનનું સાંસદો સાથે વાત ન કરવાનું વલણ વર્તમાન પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ છે.

સંબંધિત લેખો

Most Popular