પાકિસ્તાનની જેલમાંથી મુકત થયેલા ગુજરાતના 20 માછીમારો વાઘા બોર્ડરથી માદરે વતન પહોંચ્યા
વેરાવળઃ સૌરાષ્ટ્રના દરિયામાં માછીમારી દરમિયાન ઘણી વખત માછીમારોનું પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા અપહરણ કરાતું હોય છે. હાલ ઘણાબધા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમના પરિવારો જેલમાંથી છૂટવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ 20 માછીમારો આજે સવારે વાહન મારફત માદરે વતન પહોંચ્યા હતા. આ માછીમારો વેરાવળ ખાતે પરિવાજનો સાથે મિલન થતા […]


