1. Home
  2. Tag "Arvind kejriwal"

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

દિલ્હી આજે વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની બનીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની હોવાનો દાવો કરીને અરવિંદ કેજરિવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલે એક નકશો પણ બહાર પાડ્યો હતો જેમાં તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમિત શાહના […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

અરવિંદ કેજરીવાલની અરજી પર હાઈકોર્ટે નોટિસ જારી, સેશન્સ કોર્ટના આદેશને પડકાર્યો

દિલ્હી હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર નોટિસ જારી કરી છે. અરજીમાં સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. કેજરીવાલે સેશન્સ કોર્ટના નિર્ણયમાં સુધારો કરવાની માગણી સાથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. EDએ કેજરીવાલને આગોતરી […]

ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ લૂંટ, કેજરિવાલના ભાજપા ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘જનતા કી અદાલત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનતાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાનો પ્રેમ, સમર્થન અને વિશ્વાસ મારી ઈમાનદારીનો પુરાવો બનશે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ. યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ […]

અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં સીએમ આવાસ છોડશે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશી હવે રાષ્ટ્રીય રાજધાનીના નવા સીએમ છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ સીએમ માટે દિલ્હીમાં રહેઠાણની શોધ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP ચીફ જલ્દી જ સીએમ આવાસ ખાલી કરશે. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે તેમને […]

લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, શરતી જામીન મંજુર

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલને કથિત દારૂ કૌભાંડમાં જામીન મળી ગયા છે. જો કે ઘરપકડ કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે બંને ન્યાયાધીશોના મત અલગ-અલગ છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુનિયાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાન્તે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી, પણ જસ્ટિસ ભુઈનિયા તેની સાથે સહમત ન હતા. કોર્ટે કહ્યું […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં હાઈકોર્ટના આદેશ સામે કરેલી અરજી કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં પરત ખેંચી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન, કેજરીવાલે તેમની મુક્તિ પર દિલ્હી હાઈકોર્ટના વચગાળાના સ્ટે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીનના આદેશમાં ઘણી ખામીઓ દર્શાવી છે. હું આને પડકારતી નવી પિટિશન દાખલ કરવા માંગુ […]

કેજરિવાલની મુશ્કેલી વધી, સ્થાનિક કોર્ટના જામીનના આદેશ ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો સ્ટે

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. કેજરીવાલના જામીન મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના આદેશ પર સુનાવણી સુધી સ્ટે રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code