1. Home
  2. Tag "attack"

ઈઝરાઈલ ઉપર પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ રોકેટથી કર્યો હુમલો, અનેક ત્રાસવાદીઓએ કરી ઘુસણખોરી

જેરૂસલેમ: ગાઝા પટ્ટીમાં સક્રીય હમાસના ઉગ્રવાસીઓએ ઇઝરાઈલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો અનેક રેકેટ ઉઝરાઈલ ઉપર છોડવામાં આવ્યા હતા. ઈસ્લામિસ્ટ મૂવમેન્ટ હમાસનો ઈઝરાઈલ ઉપર  આ સૌથી મોટો હુમલો છે. આ ઉપરાંત આતંકવાદીઓ હથિયારો સાથે ઈઝરાયલમાં પ્રવેશ્યાનું જાણવા મળે છે. ઈઝરાયલના જણાવ્યા અનુસાર હમાસને આ ગુસ્તાખીની ભારે કિંમત ચુકવવી પડશે. Just surreal! Footage of Palestinian Hamas […]

સોમાલિયાઃ આતંકવાદીઓએ ઈથોપિયન સૈનિકો ઉપર કર્યો હુમલો, 167 જવાનો શહીદ

મોગાદિશુ: પશ્ચિમ સોમાલિયામાં કટ્ટરપંથી ઇસ્લામિક જૂથ અલ-શબાબના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 167 ઇથોપિયન સૈનિકો માર્યા ગયા છે. સોમાલી ગાર્ડિયન ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે, જૂથે એમ પણ કહ્યું હતું કે, બચેલા ઇથોપિયન સૈનિકોને પકડવામાં આવ્યા હતા અને ઇથોપિયન સૈનિકોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓએ ઇથોપિયન લશ્કરી સાધનોનો […]

કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ, બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ જમ્મુક-કાશ્મીરના બારામુલ્લામાંથી પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકાવાદીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારે કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની યોજના બનાવી હતી. જો કે, બંને આતંકવાદીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે […]

વડોદરા જિલ્લામાં મહિસાગર નદીમાં ખનીજચોરી સામે દરોડો પાડવા ગયેલા અધિકારીઓ પર હુમલો

વડોદરાઃ ગુજરાતમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનીજચોરોને અંકુશમાં લેવા ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લામાં ભાદરવા-પોઈચાના મહિસાગર નદીના પટમાં ખનીજચોરી થતી હોવાની બાતમી મળતા ખનિજ વિભાગના અધિકારીઓની ટીમ દરોડો પાડવા ગઈ હતી. ત્યારે ખનિજ માફિયાઓએ અધિકારીઓની ટામ પર જીવલેણ હુમલો કર્યો હતો. સરકારી જીપના કાચ પણ તોડી નાંખ્યા […]

IB71: 70ના દાયકામાં ચીન-પાક.ના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય જવાનોની સ્ટોરી

મુંબઈઃ બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાનની ફિલ્મ IB71સિનેમાગૃહમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને ભારતીય જવાનોની વીરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર બનેલી છે. ફિલ્મની સ્ટોરી આ ફિલ્મની સ્ટોરી 1971ની છે જ્યારે પાકિસ્તાન ચીન સાથે મળીને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું અને […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સુરક્ષા જવાનો ઉપર હુમલોઃ 10 જવાનો શહીદ, એક નાગરિકનું મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર દેશ વિરોધીતત્વો માથુ ઉચકી રહ્યાનું લાગી રહ્યું છે, જમ્મુ-કાશ્મીરના પુંછમાં ભારતીય સુરક્ષા જવાનો ઉપર આતંકવાદીઓએ તાજેતરમાં કરેલો હુમલો હજુ ભુલાયો નથી, ત્યાં હવે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ભારતીય સુરક્ષા જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ કરેલી આઈઈડી બ્લાસ્ટમાં 10 જવાનો શહીદ થયાં હતા. જ્યારે એક નાગરિકનું પણ […]

બાંગ્લાદેશ સરહદ પાસે તસ્કરોએ BSF જવાનો ઉપર કર્યો હુમલો, ચાર જવાન ઘાયલ થયાં

નવી દિલ્હીઃ ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર તસ્કરોએ બીએસએફ જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ હુમલા મહિલા કર્મચારી સહિત ચાર જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. સુરક્ષા એજન્સીઓએ તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. તસ્કરોએ સરહદની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર અને કન્ટ્રોલ રૂમમાં તોડફોડ […]

કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી અને થરાદના ગુલાબસિંહ પર હુમલો થતાં વાતાવરણ ગરમાયું

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની ચૂંટણી હાઈવોલ્ટેજ ડ્રામા જેવી બની છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા બનાસકાંઠામાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક તરફ થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો હોવાની ઘટના બની હતી, તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીનો ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. જોકે મોડી રાત્રે જંગલમાંથી કાંતિ ખરાડી […]

છત્તીસગઢઃ બાળકો ચોરીની આશંકાએ 3 સાધુઓ ઉપર ટોળાનો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સાધુ-સંતો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન છત્તીસગઢમાં ત્રણ સાધુઓ ઉપર બાળક ચોરીની આશંકાએ ટોળાએ હુમલો કર્યાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો છત્તીસગઝઢના દુર્ગ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં બાળકોની ચોરીની શંકામાં ટોળાએ સાધુઓને માર માર્યો હતો. […]

યુકેઃ એશિયા કપમાં હારથી નારાજ પાકિસ્તાની મુસ્લિમોના ટોળાએ હિન્દુઓ ઉપર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણના બનાવો બને છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. ત્યારે યુકેના લેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code