1. Home
  2. Tag "attack"

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા, ઇરાને શાંતિનો માર્ગ અપનાવો જ પડશે: ટ્રમ્પ

ઈરાન પરના હુમલામાં અમેરિકા રીતે ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.સોશિયલ મીડિયા સંદેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર ખૂબ જ સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે અને […]

ઇઝરાયલના 60 ફાઇટર જેટ્સે ઇરાન પર હુમલો કર્યો હતો… તેહરાનના SPND પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ બીજા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. આ સંઘર્ષ 13 જૂને શરૂ થયો હતો, જ્યારે ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ ઈરાનની અંદર પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન, ઇઝરાયલે ઓર્ગેનાઇઝેશન ઓફ ડિફેન્સિવ ઇનોવેશન એન્ડ રિસર્ચ (SPND) પર પણ હુમલો કર્યો, જે કથિત રીતે ઇરાનના પરમાણુ શસ્ત્રો વિકાસ […]

ભારતે પાકિસ્તાનના રાવલપિંડી અને શોરકોટ એરબેઝ પર કર્યો હતો હુમલો, ઈશાક દારે સત્ય કબૂલ્યું

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે પુષ્ટિ આપી હતી કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના બે મહત્વપૂર્ણ એરબેઝ – રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલાઓ ભારત દ્વારા 7 મેના રોજ કરવામાં આવ્યા હતા. અગાઉ, પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સેનાએ ભારતના હુમલાથી થયેલા નુકસાન અંગે ઘણી વખત જવાબ આપવાનો ઇનકાર […]

ઈરાન પર હુમલા બાદ બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન ઉપર કરી વાત

નવી દિલ્હીઃ ઈઝરાયલે ઈરાનના નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ અને તેહરાનમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “મને ઈઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી […]

ભારત પછી બલૂચિસ્તાને પાકિસ્તાનનાં 39 ઠેકાણા પર કર્યા હુમલા

ભારતના ઓપરેશન સિંદૂર બાદ બલુચિસ્તાન અને પીઓકેમાં પાક. સરકાર અને સેના સામે બળવો ઉગ્ર બનવા લાગ્યો છે. સરહદે ભારતીય સેના પાક. સેનાને આક્રામક ફટકાર લગાવી રહી હતી ત્યારે બીજી તરફ ખૈબરમાં બળવાખોરોએ પાક.ના સુરક્ષા દળોની ચેક પોસ્ટ ઉડાવી હતી, જેમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયાના અહેવાલ છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આવા હુમલા થયાના અહેવાલો […]

નનકાના સાહિબ ગુરુદ્વારા પર ભારતે હુમલો કર્યાનો પાકિસ્તાને કર્યો બોગસ દાવો

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનના હુમલાઓનો યોગ્ય જવાબ આપી રહી છે. જોકે, બંને દેશો વચ્ચે બગડતી પરિસ્થિતિને કારણે સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર અને ખોટા દાવાઓનો દોર શરૂ થયો છે. ભારતને નુકસાન પહોંચાડવા અને કાવતરાં રચવા માટે સોશિયલ મીડિયા દ્વારા વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા […]

પાકિસ્તાને રાત્રે હુમલો કરવાનો કર્યો પ્રયાસ, 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગઈકાલે રાત્રે નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સુરક્ષા દળોએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા ડ્રોન વિરોધી ઓપરેશનમાં 50 થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. આ ડ્રોન […]

‘જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે હુમલો કરીશું’, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી ધમકી આપી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં ફરી એકવાર ભારતને ખોટી ધમકી આપી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. તેમણે કહ્યું કે આક્રમણ ફક્ત ગોળીઓ દ્વારા જ થતું નથી, પાણી રોકવું પણ એક હુમલો છે. ખ્વાજા આસિફનું આ નિવેદન […]

હુમલા બાદ સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો નષ્ટ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ રાખી રહ્યા છે. સુરક્ષા દળોએ પુલવામા, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરો તોડી પાડ્યા છે. આતંકવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શોપિયાના છોટીપોરામાં સક્રિય લશ્કર-એ-તોયબા આતંકવાદી કમાન્ડર શાહિદ અહમદ કુટ્ટેનું ઘર સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું. શાહિદ છેલ્લા ત્રણથી ચાર […]

ગાઝામાં ઈઝરાયના હુમલા યથાવત, વધુ 40ના મોત

મધ્ય ગાઝાના એક બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 7 પેલેસ્ટિનિયનોના મૃત્યુ થયા છે. યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં થયેલા હુમલાઓમાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ચેતવણી આપી છે કે ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સી (UNRWA) કહે છે કે, ત્રણ અઠવાડિયાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code