વાઈબ્રન્ટ સમિટમાં અઢળક રોકાણો થતાં પાંચ વર્ષમાં ‘વિકસિત ગુજરાત’ બની જશે : રાજ્યપાલ
ગાંધીનગરઃ આઝાદીના અમૃતકાળનો આરંભ થયો છે. વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાનું લક્ષ્ય છે, પરંતુ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા જોતાં લાગે છે કે, ગુજરાતે ‘વિકસિત ગુજરાત’ બનવા માટે વર્ષ 2047 સુધી પ્રતીક્ષા નહીં કરવી પડે, આગામી પાંચ વર્ષમાં ગુજરાત ‘વિકસિત’ થઈ જાય એવું આયોજન છે. આગામી પાંચ વર્ષમાં ગુજરાત દેશને પ્રેરણા આપનારું રાજ્ય બની રહેશે, એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ […]