1. Home
  2. Tag "Ban"

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા […]

બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં અનામતને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશ સરકારે જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ સરકારે કટ્ટરપંથી પક્ષ પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા હતા. માહિતી અનુસાર, જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ શાસક વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગની આગેવાની હેઠળના 14-પક્ષીય ગઠબંધનની […]

પાકિસ્તાનમાં મોહરમમાં હિંસા ફાટી નીકળવાનો ભય, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ રાજ્ય સહિત અન્ય ઘણા રાજ્યોએ સંઘીય સરકાર પાસેથી આ માંગ કરી છે. રાજ્યોને ડર છે કે, મોહરમ દરમિયાન હિંસા ફાટી નીકળી શકે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નફરતના સંદેશાઓ ઝડપથી ફેલાઈ શકે છે. મોહરમ દરમિયાન, શિયા મુસ્લિમો ઇસ્લામના […]

તાજિકિસ્તાનમાં હિજાબ પહેરવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, કાયદો તોડવા પર દંડ થશે

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 96 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની સંસદમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સુધારા અનુસાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ થઈ શકે છે. સંસદના ઉપલા ગૃહ ‘મજલિસી મિલી’માં આ બિલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ખરડો બે સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક રજાઓ ઇદ […]

આ દેશોની સરકારે વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેના પાછળનું કારણ જાણો

સમગ્ર વિશ્વમાં લગભગ 3 અબજ લોકો દરરોજ WhatsAppનો ઉપયોગ કરે છે. એકલા ભારતમાં 53 કરોડ લોકો તેનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક કામ માટે કરે છે. વોટ્સએપની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. આ હોવા છતાં, તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના 6 મોટા દેશોની સરકારોએ તેમના દેશોમાં WhatsApp પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ભારતનો પાડોશી દેશ પણ […]

ચારધામ યાત્રાઃ રાત્રે 10થી સવારનાં 4 વાગ્યા સુધી પેસેન્જર વાહનો પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ચારધામ યાત્રા પર દેશ અને દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે હવે વાહનવ્યવહારનું આયોજન કરવામાં આવ્યું છે. ચારધામ યાત્રાના તમામ માર્ગો ખુલ્લા છે પરંતુ યમુનોત્રી ધામ યાત્રા રૂટ પર જતા વાહનો માટે બાયપાસ માર્ગ નથી. હવે રાત્રિથી સવાર સુધી વાહનો નહીં ચાલે. ડીજીપીએ એડવાઈઝરી જાહેર કરી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.  ચારધામ યાત્રા પર આવનારાઓ માટે […]

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની અરજી ફગાવી

નવી દિલ્હીઃ પીએમ મોદીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં પીએમ મોદી પર નફરતભર્યા ભાષણો આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં પીએમ મોદી વિરૂદ્ધ નફરત ફેલાવનાર ભાષણ આપવા અને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

ગિરનારના 27 ગામો અને ESZમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હવે માટી, ટીનની બોટલોમાં પાણી મળશે

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં પાર્ટી ઇન પર્સન તરીકે એડવોકેટ અમિત પંચાલ દ્વારા  ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે  ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના છેલ્લા આદેશ મુજબ વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રિન્સિપાલ […]

દેશમાં ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ હટાવ્યો નથી

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવાયો હોવાની અટકળો વચ્ચે આજે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સરકારે ચોખવટ કરી છે કે, તા. 31મી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ રહેશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે એ સમાચારોનું ખંડન કર્યું છે કે, જેમાં ડુંગળીની નિકાસ ઉપર લગાવેતો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code