1. Home
  2. Tag "Beneficiaries"

પીએમઈજીપી યોજના: લાભાર્થીઓને રૂ. 300 કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ 17 જૂન 2025ના રોજ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ દેશભરના 11480 સેવા ક્ષેત્રના લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ 906 કરોડ રૂપિયાની લોન મંજૂર સામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજઘાટ કાર્યાલય ખાતે યોજાયો હતો, જ્યાંથી કેવીઆઈસીના […]

PMEGP હેઠળ 8794 લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ

નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ, ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત એક ઓનલાઈન કાર્યક્રમ દ્વારા દેશભરના 8794 લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ લગભગ રૂ. 884 કરોડની લોન સ્વીકૃતિ […]

કુંવરબાઇનું મામેરું યોજનાઃ રાજ્યમાં 5 વર્ષમાં 43000થી વધુ લાભાર્થીઓને સહાય ચુકવાઈ

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઇનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતાં […]

ઇન્ડોનેશિયાએ મફત ભોજન કાર્યક્રમ શરૂ કર્યો, 30 લાખ લાભાર્થીઓ સુધી પહોંચાશે

ઈન્ડોનેશિયાએ તેનો મફત ભોજન કાર્યક્રમ શરૂ કર્યો, જે તેના નાગરિકોના પોષણમાં સુધારો કરવા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાબુમિંગ રાકાની આગેવાની હેઠળની સરકારની મુખ્ય પહેલ છે. નેશનલ ન્યુટ્રિશન એજન્સીના વડા દાદન હિંદાયનાએ સોમવારે જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 30 લાખ લાભાર્થીઓ સુધી પહોંચવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અસરકારક વિતરણ […]

ગુજરાત: PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર

અમદાવાદઃ પ્રધાનમંત્રી જન-ધન યોજનાથી છેલ્લા દસ વર્ષમાં નાણાકીય સમાવેશના આ રાષ્ટ્રીય મિશનનું અભૂતપૂર્વ પરિણામ જોવા મળ્યું છે અને હાલ 53 કરોડથી પણ વધુ લોકો મૂળભૂત નાણાકીય સેવાઓનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ નોંધાયું છે. PM જન-ધન […]

ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજના પૂર્ણ ન થતાં લાભાર્થીઓને 12 ટકા વ્યાજ ચૂકવવા આદેશ

ગાંધીનગરઃ શહેર નજીકના કુડાસણ ખાતે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ(ગુડા) દ્વારા મૂકવામાં આવેલા એમઆઇજી-1 પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થતા અને લાભાર્થીઓને સમયસર આવાસનો કબજો સોંપવામાં નહીં આવતા ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી, જેના પગલે રેરાએ શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને  12 ટકા લેખે વિલંબિત વ્યાજ લાભાર્થીઓને ચૂકવી આપવા આદેશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરી વિકાસ […]

ગુજરાતમાં પીએમજેએવાય-મા યોજના હેઠળ 1.73 કરોડ લાભાર્થીઓને આવરી લેવાયાં

અમદાવાદઃ રાજ્યની પ્રજાને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા મા અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. દરમિયાન દેશની પ્રજાની આરોગ્ય સુખાકારી માટે પીએમજેએવાય યોજના શરૂ કરી હતી. જેથી ગુજરાતમાં પણ પીએમજેએવાય-મા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.73 કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયાં છે. ગુજરાતની વધુ એક સિદ્ધિ સામે આવી છે. 2.89 […]

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનઃ 1487 લાભાર્થીઓને રૂ. 39.25 કરોડનું ધિરાણ

અમદાવાદઃ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી સ્વરોજગાર મેળવે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 1487 લાભાર્થીઓને રૂા. 39.25 કરોડનું ધિરાણ કરવા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવેલ છે. તેમ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code