1. Home
  2. Tag "bengal"

બંગાળમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં CMનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શુક્રવારે ધારાસભ્યદળની બેઠક

કોલકાતા, 6 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી મેળવ્યા બાદ હવે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ 9 મેના રોજ કોલકાતાના પ્રતિષ્ઠિત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ લેશે. આ તારીખની પસંદગી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ નિમિત્તે કરવામાં આવી છે, જે […]

બંગાળમાં સત્તા હસ્તાંતરણ પૂર્વે સચિવાલયમાં લોખંડી બંદોબસ્ત, સરકારી દસ્તાવેજોની સુરક્ષાનો આદેશ

કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ બની છે. આ દરમિયાન, વહીવટી તંત્રમાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુથી મુખ્ય સચિવ (ચીફ સેક્રેટરી) દ્વારા એક અત્યંત મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. મુખ્ય સચિવના આદેશ મુજબ, રાજ્ય સચિવાલય ‘નવાન્ન’ ભવન સહિત […]

બંગાળને 9 મેએ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી મળશે, શપથવિધિ સમારોહ યોજાશે

કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપાની ભવ્ય જીત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાલ, અસમ અને પુંડુચેરમાં નવી સરકાર બનાવવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આગામી 9 મેના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાશે તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું. […]

વિધાનસભા ચૂંટણી પરિણામઃ બંગાળ અને કેરલમમાં ડાબેરીઓના પ્રદર્શન અંગે ડી.રાજાએ વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે જ્યારે ડાબેરીઓનો ગઢ ગણાતા કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ના મહાસચિવ ડી. રાજાએ વિપક્ષી દળો અને ખાસ કરીને ડાબેરી […]

બંગાળ તરફ નજર નાખી તો પાકિસ્તાનના કેટલા ટુકડા થશે તે ભગવાન જાણે: રાજનાથ સિંહ

કોલકાતા, 8 એપ્રિલ 2026: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારતને અપાયેલી ‘ગીધડ ભભકી’ પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કર્યો છે. પશ્ચિમ બંગાળના બેરકપુરમાં એક રોડ શો દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ ભારતને પડકારવાની ભૂલ ન કરે અને પોતાનો ઈતિહાસ યાદ રાખે. ખ્વાજા આસિફના […]

બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીનું મહા-શુદ્ધિકરણ: 91 લાખ નામો પડતા મુકાયા

કોલકાતા, 7 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે મતદાર યાદીમાં મોટો સુધારો કર્યો છે. સુધારેલી યાદી મુજબ રાજ્યમાંથી કુલ 90,83,345 નામો મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. પંચે જિલ્લાવાર યાદી જાહેર કરવાની સાથે હવે વોટર લિસ્ટને ‘ફ્રીઝ’ કરી દીધું છે, જેનો અર્થ છે કે હવે મતદાન […]

બંગાળમાં અશાંતિ વચ્ચે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી, અધિકારીઓને કડક સૂચનાઓ આપી

નવી દિલ્હી, 28 માર્ચ 2026: પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં હિંસા અને અશાંતિના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે પોલીસ વહીવટીતંત્ર પર દેખરેખ વધારી છે. આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા તમામ સ્તરે અધિકારીઓને કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના નિર્દેશો અનુસાર, તમામ બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટનું પાલન કરવું આવશ્યક છે, અને ભાગેડુ […]

બંગાળમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છેઃ પીએમ મોદી

કોલકાતા, 14 માર્ચ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કંઈક અલગ અંદાજમાં કર્યો છે. તેમણે બંગાળના હિન્દુઓની અતિશય કફોડી હાલત વિશે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ નિવેદન કરીને એક સંદેશ આપ્યો છે. કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળમાં હિંદુઓને લઘુમતીમાં આવી જાય તેવી સ્થિતિ પેદા કરવામાં આવી […]

બંગાળ SIR પ્રક્રિયા: ધોરણ 10ના એડમિટ કાર્ડની સાથે બોર્ડ સર્ટિફિકેટ પણ ફરજિયાત આપવુ પડશે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયામાં દસ્તાવેજોની સત્યતાને લઈને સુપ્રીમ કોર્ટે મોટી સ્પષ્ટતા કરી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે, ઓળખના પુરાવા તરીકે ધોરણ 10ના એડમિટ કાર્ડને એકલા દસ્તાવેજ તરીકે સ્વીકારી શકાય નહીં. તેની સાથે બોર્ડ દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર […]

બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code