1. Home
  2. Tag "budget session"

બજેટ સત્રઃ સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરાયો, આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અનુમાન

નવી દિલ્હીઃ સંસદમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો હતો અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીએ રાજ્યસભા અને લોકસભાને સંબોધન કર્યું હતું. દરમિયાન સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કરવામાં આવ્યો હતો. આર્થિક સર્વે દેશની અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિ દર્શાવે છે  આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા કેવી રીતે ગ્રોથ કરશે, તેનું અનુમાન દર્શાવવામાં આવે છે. રાષ્ટ્રપતિજીએ અભિભાષણ બાદ સંસદના મંચ ઉપર આર્થિક […]

સંસદનું બજેટ સત્ર રોજગાર, ચીન સરહદ વિવાદ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, આ સત્રમાં મોદી સરકાર વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. બીજી તરફ રોજગારી, ચીન સાથેનો સરહદી વિવાદ, અર્થતંત્ર, સેન્સરશીપ સહિતના મુદ્દાઓ પર વિપક્ષના આક્રમક વલણને જોતા બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા છે. કોંગ્રેસ ચીનના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરએસપી સહિત અનેક […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ રહ્યો તોફાની, વિપક્ષનો હંગામો

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભાનું પ્રથમ સત્ર હંગામા સાથે શરૂ થયું. રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન પહેલા જ સભ્યોએ ગૃહમાં હંગામો શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ તમામ પક્ષોને શાંતિપૂર્ણ રીતે ગૃહ ચલાવવાની અપીલ કરી હતી. […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો બુધવારથી પ્રારંભ, ગુરૂવારે અંદાજપત્ર રજુ થશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા.2જી માર્ચથી પ્રારંભ થી રહ્યો છે. અને તા. 3જી માર્ચે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થશે, વિધાન સભાની ચૂંટણીને આઠ મહિના જેટલો સમય બાકી હોવાથી બજેટમાં નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નથી. વિધાનસભાના સત્રમાં અનેક બીલોને મંજુરી આપવામાં આવશે.વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. રાજ્યમાં 121 દિવસના […]

ગુજરાત વિધાનસભાનું તા. 2 માર્ચથી બજેટ સત્રનો પ્રારંભ

બજેટસત્રમાં 25 બેઠકો મળશે કોંગ્રેસે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી વિધાનસભાનું બજેટ સત્ર તોફાની રહેવાની શકયતા અમદાવાદઃ લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ રજૂ કર્યું હતું. જ્યારે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર પ્રથમવાર બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભામાં તા. 2 માર્ચના રોજ બજેટ સત્રનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ અભિભાષણ આપશે. જ્યારે 3 માર્ચના […]

વિચાર નવા હોય તો જૂના સંશાધનોથી પણ નવો રસ્તો બનાવી શકાયઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી

દિલ્હીઃ બજેટસત્ર પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ દેશના વીરોને યાદ કર્યાં હતા. તેમજ દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે કહ્યું કે, કોરોના મહામારીને પગલે મુશ્કેલી વધી છે પરંતુ આજે ભારત સૌથી વધારે રસીકરણ કરવાવાળા દેશમાં સામેલ છે. સરકાર ભવિષ્યની તૈયારીમાં લાગી છે. આ માટે 64 હજાર કરોડના ખર્ચે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર […]

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 2જી માર્ચથી પ્રારંભઃ બજેટ ફીલગુડ રહેવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો તા. 2જી માર્ચથી પ્રારંભ થશે. આ સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની વિધાનસભામાં પ્રથમ કસોટી થશે. રાજ્યનું બજેટ સત્ર 2 માર્ચથી શરુ થશે અને 31 માર્ચ સુધી ચાલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 3જી માર્ચે બજેટ રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર-2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આગામી બજેટ ફિલગુડ રહેશે. અને અનેક છૂટછાટો આપવામાં […]

બજેટ સત્ર પહેલા કેન્દ્ર સરકારે 31 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક 31 જાન્યુઆરીએ યોજાશે આ બેઠક બજેટ સત્ર પહેલા યોજાશે આ બેઠક દિલ્હી:સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.બીજી તરફ કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.આ પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.આ બેઠક 31 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાઈ શકે છે. મળતી માહિતી મુજબ આ બજેટ […]

બજેટ સત્ર પહેલા જ સંસદમાં કોરોનાનું ગ્રહણઃ અત્યાર સુધી 718 કર્મીઓ પોઝિટિવ

બજેટ સત્ર પહેલા સંસદમાં કોરોના વિસ્ફોટ અત્યાર સુઘી 718 કર્મીઓ પોઝિટિવ   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર એક સાથે કોરોના સંક્રમિત મળી આવવાની ઘટનાઓ પણ વધી રહી છે જો સંસદની વાત કરવામાં આવે તો હાલમાં જ 45 થી વધુ કર્મીઓ એક બેઠક બાદ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારે […]

વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ તબક્કામાં રજૂ કરાશે લવ જેહાદ વિધેયક

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લવ જેહાદના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવો અટકાવવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદાની માંગણી ઉઠી હતી. તેમજ સરકારે પણ કાયદા ઉપર વિચારણા શરૂ કરી હતી. દરમિયાન વિધાનસભાના બજેટ સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં લવ જેહાદ વિધેયક રજૂ કરવામાં આવે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code