1. Home
  2. Tag "Chief Minister Bhupendra Patel"

અમદાવાદ રથયાત્રાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી […]

પ્લેન દૂર્ઘટનાઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાં છે. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમ રદને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા. તેમજ સિવિલના તબીબોને જરુરી નિર્દેશ કર્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]

ગાંધીનગરઃ હોમિયોપેથી કન્વેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથીક ડે પર જાગૃતિ લઈને આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. બે દિવસીય હોમિયોપેથી સંમલેન લોકોમાં રહેલ ભ્રમણા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હોમિયોપેથી વિજ્ઞાન આધારે ચાલતી પ્રક્રિયા છે. તેમજ હોમિયોપેથી કુદરતી ઉપચારને વધુ સક્રીય કરે છે […]

ટ્રાફિક નિયમોનું પાલન અને આદર્શ નાગરિક બનવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી

સુરતઃ સુરતના ડિંડોલી ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં આયોજિત ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવનો ભવ્ય આરંભ થયો. મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉમિયા માતાજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી. તેમણે મા ઉમિયાના ચરણોમાં શીશ ઝૂકાવી, સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મંગલ પ્રાર્થના કરી. મુખ્યમંત્રીએ કહ્યું હતું […]

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકાર ના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ વાનને પ્રસ્થાન કરાવીને નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો. આ અભિયાન ગુજરાતમાં 19મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અંબાજીથી શરૂ થવાનું છે. સમગ્ર […]

CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતના નાગરિકોને અદ્યતન માર્ગો આપવાનો કર્યો નિર્ણય

નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રી એ આ નિર્ણય કર્યો અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે ગાંધીનગરઃ 16 આદિજાતિ ગામોની 23 હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની […]

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CREDAI ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર “સૌના સાથ સૌના વિકાસ”ને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણનો ઉકેલ લાવવા છે. રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું […]

સામાન્ય માનવીઓને વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સામાન્યમાં સામાન્ય માનવીઓને જેટલા બની શકાય તેટલા વધુને વધુ મદદરૂપ થવાનો ભાવ જ સુશાસનની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે ૨૫મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને ૨૦૧૪ થી સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રીના […]

રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રમેવ જયતે‘ મંત્રને ચરિતાર્થ કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે આપી છે.  કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે આ સુવિધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code