1. Home
  2. Tag "chotila"

ચોટીલાના રામજી મંદિરમાં હવે અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શનની અનુભૂતિ થશે

અયોધ્યાથી પ્રવાસી સ્વરૂપે ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડો આવ્યા રામજી મંદિરમાં ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડા સ્થાપીત કરાયો અમદાવાદઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી. આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના […]

ચોટિલામાં હાઈવે પર હોટલો અને દુકાનદારો દ્વારા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે સતત વાહનોથી ધમધમતો રહે છે. હાઈવેને સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. હાઈવેની બન્ને સાઈડ પર હોટલો અને દુકાનદારોએ દબાણો કરેલા હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ચોટિલામાં આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફીસ સુધી હાઇવે ઉપર દુકાનો તેમજ હોટલોના માલિકો દ્વારા દબાણ કર્યું હોવાથી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓએ ચુસ્ત […]

ચોટિલાના ડુંગરની તળેટીમાં આજથી બે દિવસીય રાજ્યકક્ષાનો મહોત્સવ યોજાશે,

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં ચોટીલા ખાતે બે દિવસના રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષનાં ચોટીલા ઉત્સવનો આજે તા.14 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ ઉત્સવ અંતર્ગત બે દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાતાં હાઈવે બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ અકસ્માતના બનાવની […]

ચોટિલામાં આઠમા નોરતે ચાંમુડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન માટે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આઠમા નોરતે એટલે કે નવરાત્રીની અષ્ટમીએ માતાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય હોવાથી રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગર પર માનવ મેરામણ ઉમટ્યો હતો. મહંત પરિવાર દ્વારા આઠમાં નોરતે નવચંડી હોમહવન પૂજા જાપ શાસ્ત્રોક વિધિ અનુસાર માતાજીની […]

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પુનમે દર્શન માટે ભાવિકો મોટા સંખ્યામાં ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ આજે ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે સુપ્રસિદ્ધ ચોટિલાના ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્વ અનેરૂ હોય છે. ચૈત્રી પૂનમમાં હજારો માઈભક્તો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ચોટીલા ડુંગર ટ્રસ્ટ તેમજ અનેક […]

ચોટિલા નજીક ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં બેના મોત, બન્ને તરફ ચાર કિમી. સુધી ટ્રાફિક જામ

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક વણકી બોળકી પાસે હાઇ–વે પર કાર પર ડમ્પર પલટી ખાઇ જતાં  બેના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ચોટીલા અને સાયલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતને કારણે હાઈવેની બન્ને બાજુએ ચાર કિ.મી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ […]

ચોટિલા પાસે ખાનગી લકઝરી બસમાં મધરાતે આગ લાગતા વૃદ્ધાનું મોત, મુસાફરોમાં નાસભાગ મચી ગઈ

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા નજીક ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું હતુ. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ […]

ચોટિલા નજીક નેશનલ હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂંસી જતા 2ના મોત, 6 ને ઈજા

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર ચોટિલા નજીક આજે સવારે બંધ ટ્રક પાછળ જીપ ઘૂંસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીપમાં સવાર બે લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે  6 વ્યક્તિઓ ઈજાઓ થઈ હતી  પોલીસની પ્રાથમિક તપાસમાં જીપમાં સવાર પ્રવાસીઓ અમદાવાદથી દ્વારકા જતા હતા, ત્યારે ચોટિલા નજીક અકસેમાતનો બોગ બન્યા હતા. આ અકસ્માતની વિગતો એવી […]

ચોટીલામાં ભારે વરસાદ વચ્ચે વીજ કંપનીની ટીસીમાં ખામી સર્જાતા 82 ગામમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી અંધારપટ છવાયો હતો. વીજ કંપની દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code