1. Home
  2. Tag "Citizens"

અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો

અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને […]

ભારત-પાકિસ્તાન સરહદની નજીક મુસાફરી ના કરવા અમેરિકાએ પોતાના નાગરિકોને સુચન કર્યું

નવી દિલ્હીઃ અમેરિકી નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આમાં અમેરિકાએ તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદ અને નિયંત્રણ રેખાની આસપાસ મુસાફરી ન કરવા જણાવ્યું છે. અમેરિકાએ આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની આંશકાને કારણે ભારત-પાકિસ્તાન સરહદ, દેશની નિયંત્રણ રેખા અને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં મુસાફરી ન કરવાની ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકો […]

ગુજરાતમાં નાગરિકોમાં સ્થૂળતા ઘટાડવા મામલે અભિયાન શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 4 માર્ચ, 2025ના રોજ વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ 44 અંતર્ગત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે […]

CM ભૂપેન્દ્ર પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતના નાગરિકોને અદ્યતન માર્ગો આપવાનો કર્યો નિર્ણય

નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રી એ આ નિર્ણય કર્યો અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે ગાંધીનગરઃ 16 આદિજાતિ ગામોની 23 હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની […]

ભારતીય નાગરિકો શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ માટે સંસદીય ગેઝેટ નોટિફિકેશન […]

સત્તા પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા સીરિયામાંથી ભારતે પોતાના 75 નાગરિકોને બહાર કાઢ્યા

નવી દિલ્હીઃ ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. બહાર કાઢવામાં આવેલા લોકોમાં જમ્મુ અને કાશ્મીરના 44 યાત્રાળુઓનો સમાવેશ થાય છે જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે. […]

ગુજરાત: ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ

ગાંધીનગરઃ દેશભરમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓએ ખેડૂતો અને મંડળીના સભાસદોને આર્થિક રીતે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત ઇ-સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર […]

પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું: “તમામ દેશવાસીઓ વતી આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ […]

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ જે અત્યાર સુધી હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, તેણે હવે કુખ્યાત આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે આકરી લડાઈ લડવી પડશે. મધ્ય પૂર્વમાં ગહન કટોકટી અને વ્યાપક સંઘર્ષની આશંકાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયેલ અને ત્યાંથી ઉડાન ભરવાવાળી ઘણી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઈરાન, લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલની […]

અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર અને જમ્મુ-કાશ્મીર ન જવાની સૂલાહ આપી

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code