1. Home
  2. Tag "civil hospital"

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 447 દર્દીઓ છતાં 100 ઈન્જેક્શનો ફાળવાતા મુશ્કેલી

અમદાવાદ: કોરોનાની મહામારી દરમિયાન સાઈડ ઈફેક્ટની જેમ વકરતો મ્યુકોરમાઈકોસિસ દિવસેને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે. કોરોનામાં જે રીતે રેમડેસિવિયરની અછત સર્જાઈ હતી એ રીતે જ મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછતે પણ માંઝા મૂકી છે. અમદાવાદ સિવિલમાં 447 દર્દી વચ્ચે સરકારે ફકત 100 ઈન્જેક્શન જ ફાળવતા હોસ્પિટલનું તંત્ર કફોડી સ્થિતિમાં મુકાયુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલમાં […]

રાજકોટમાં ભારે પવનને લીધે સિવિલ હોસ્પિટલમાં મંડપ તૂટી પડ્યો, પડધરીમાં વીજ પોલ ઘરાશાયી

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું આજે રાત્રે 8 વાગ્યે પોરબંદર, વેરાવળના સાગરકાંઠે ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બપોરથી જ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ભારે પવનને કારણે મંડપ ઊડી ગયા હતા. પડધરી વિસ્તારમાં પણ ભારે પવનને કારણે અનેક વીજ પોલ ઘરાશાયી થયા હોવાના વાવડ મળ્યા છે. અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. […]

અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 112 કેસ નોંધાયાઃ સિવિલમાં નવો વોર્ડ ઉભો કરાયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે.  શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે […]

લો બોલો, જૂનાગઢ સિવિલમાં કોરોના મહામારી વચ્ચે કામ વિના આંટાફેરા કરતા 30 લોકો પકડાયાં

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાનો ચેપ વધારે ન ફેલાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢ સિવિલમાં કામ વિના આંટાફેરા કરતા લોકોને ઝડપી લેવા માટે સિવિલ હોસ્પિટલ અને પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં […]

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સિવિલ હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી

સુરતઃ શહેરમાં છેલ્લાં કેટલાક દિવસથી  કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે શહેરમાં દરરોજ બે હજાર જેટલા નવા કેસ નોંધાતા હતા, જે આંકડો ઘટીને 1000 સુધી પહોંચ્યો છે. મે મહિનાની શરૂઆતમાં કોરોના સામેની લડતમાં તંત્રને આંશિક સફળતા મળી છે. આ સિવાય કોરોનાને હરાવીને ઘરે પાછા ફરનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. કેસની સંખ્યામાં […]

અમદાવાદની સિવિલ સહિત બે હોસ્પિટલમાં શિક્ષકોને કોવિડ ડ્યુટી સોંપાઈ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાને કાબુમાં લેવા તંત્ર માટે પણ એક પડકાર ઊભો થયો છે. ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એવા અમદાવાદમાં કોવિડ સેન્ટરો પર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. શહેરની સિવિલ  અને મંજુશ્રી હોસ્પિટલમાં સિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.આ બન્ને હોસ્પટલોમાં શહેરના શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સેવામાં RSSના 180 સ્વયં સેવકો જોડાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.મોટાભાગની સરકારી અન ખાનગી હોસ્પિટલો દર્દીઓ હાઉસફુલ ઈ ગઈ છે. આવા વિકટ સમયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ પોતાની પ્રાણની પરવા કર્યા વિના સમાજ માટે બનતું બધું કરી છૂટવા સજ્જ બન્યાં છે. શુક્રવારથી અમદાવાદ સિવિલમાં મેડિકલ સ્ટાફના શિરે રહેલો અસહ્ય ભાર હળવો કરવા રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘના 30 વર્ષથી […]

અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને હિંમત અપાવવા કસરત કરાવાય છે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓને સારવાર સાથે માનસિક મનોબળ વધારવું પણ જરૂરી છે. ત્યારે સિવિલની કિડની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે કસરત કરાવીને માનસિક મનોબળ વધારવામાં આવી રહ્યુ છે. શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના કોરોનાનાં દર્દીઓને શારીરિક માનસિક હિંમત આપવામાં આવે છે. દિવસમાં […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ વધતા પ્રતિદિન 55000 કિલો ઓક્સિજનનો વપરાશ

અમદાવાદ :   એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવિડના દર્દીઓથી ફુલ થઈ રહી છે. સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે,  સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.  સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા […]

સિવિલ હોસ્પિટલમાં પોતાના સ્વજનની ડેડબોડી શોધતા પરિવારને સ્વજને જ ફોન કર્યો, હું જીવતો છું

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના તંત્રએ જેતલપુરના એક દર્દીના સગાને ફોન કરીને કહ્યું હતું કે તમારા સગા મૃત્યુ પામ્યા છે. તેથી પરિવારના 20 સભ્ય મૃતદેહ લેવા સિવિલ પહોંચ્યા હતા અને પોતાના મૃતક સ્વજની ડેડબોડી ન મળતા શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક દર્દીએ સ્વજનોને વીડિયો કોલ કરીને કહ્યું કે હું તો જીવીત છું. દર્દી સાથે વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code