1. Home
  2. Tag "Cleanliness campaign"

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન, 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો

સાબરમતી નદીની 5મી જુન સુધીમાં સંપૂર્ણ સફાઈ થઈ શકે તેવી સ્થિતિ નથી નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો અને બિલ્ડિંગનો વેસ્ટ સામાન બહાર કઢાયો નદીને સ્વચ્છ રાખવામાં શહેરીજનોમાં જાગૃતિનો અભાવ અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીને નર્મદાના પાણીથી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. નદી બેકાંઠે ભરાયેલી રહેતી હોવાથી શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની ગયુ છે. દરમિયાન નદી પરના […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

એએમસીના કમિશનર, ધારાસભ્યો અને મેયર જોડાયા નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો, ધજાઓ અને માળાઓ સહિત વસ્તુઓ બહાર કાઢાઈ કાંપ અને કચરો મોટાપ્રમાણમાં હોવાથી નદીની સાફસફાઈમાં સમય લાગશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ […]

ગુજરાતના 13000 ગામડામાં આવેલા 25000 ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન

સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું રાજ્યવ્યાપી મહાઅભિયાન, મહાભિયાનમાં 50.000 કિલોગ્રામ કચરો એકત્રિત કરાયો સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો પણ જોડાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સહયોગથી રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ તા. 1 મે – ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે […]

સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્ર સરકારે રૂ. 650 કરોડનું ભંગાર વેચ્યું

નવી દિલ્હીઃ કર્મચારી મંત્રાલયે માહિતી આપી છે કે, કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ જનરેટ થયેલા જંકનું વેચાણ કરીને 650 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે.  મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની માર્ગદર્શિકાથી પ્રોત્સાહિત, 2021-24 વચ્ચે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ, ભંગારના વેચાણથી 2,364 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત […]

ગાંધીનગર જિલ્લામાં 14મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન

ગામેગામ સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ હાથ ધરાશે, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના શપથ લેશે, સફાઈ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાશે ગાંધીનગરઃ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક ગામો અને શહેરોમાં […]

અમદાવાદના બાપા સિતારામ સેવા ટ્રસ્ટના 360 સ્વયંસેવકોની સોમનાથ તીર્થમાં સ્વચ્છતા ઝુંબેશ

સોમનાથઃ  શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતત 14માં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે. એક દિવસમાં  સોમનાથ મંદિર […]

ગાંધીનગરમાં ધોળેશ્વર મંદિરના સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.14/01/2024થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કરતા ગુજરાતના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા […]

ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થળો પર 14મીથી 22મી જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન યોજાશે

ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાશે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.14/01/2024 થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. […]

પોર્ટસ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયને ભંગારના વેચાણથી રૂ. 1.17 કરોડની આવક થઈ

નવી દિલ્હીઃ દેશમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પોર્ટસ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારપા સ્પેશિયલ મિશન 3.0 હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રાલયને ભાંગારનું વેચાણ કરીને લગભગ 1.17 કરોડની આવક થઈ હતી. પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સ્પેશિયલ ડ્રાઇવ 3.0 ચલાવી રહ્યું છે. આ ઝુંબેશના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં જાહેર ફરિયાદોનો અસરકારક નિકાલ, સંસદના સભ્યોના સંદર્ભો, […]

સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પીએમ મોદીની અપીલ લાવી રંગ – 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં લીઘો ભાગ

દિલ્હીઃ પીએમ મોદી દ્રારા  ગાંઘી જ્યંતિ નિમ્મિતે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી જો કે આ અપીલથી કરોડો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીઘો છે કેન્દ્ર દ્રારા હવે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા લોકોનો આંકડો જારી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની અપીલ પર, 8.75 કરોડ લોકોએ 1 ઑક્ટોબરના રોજ દેશભરમાં નવ લાખથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code