1. Home
  2. Tag "CM"

ગુજરાતના મુખ્યમંત્રીએ તાત્કાલિક ‘રાજીનામું’ આપવું જોઈએ-મોરબી અકસ્માત અંગે અરવિંદ કેજરીવાલનું નિવેદન

દિલ્હી:મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોતને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવી જોઈએ. હું મૃત્યુ પામેલા લોકોના આત્મા માટે પ્રાર્થના કરું છું. અને ઘાયલોના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.આ ભ્રષ્ટાચારનો મામલો છે.ઘડિયાળ બનાવતી […]

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એકસાથે 31 સ્માર્ટ સ્કુલોનું સાયન્સ સિટીથી ઈ-લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી જેવી સ્માર્ટ સ્કુલો ગુજરાતમાં નથી તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. તેની હવે ભાજપ સરકારે પણ સ્માર્ટ સરકારી સ્કુલો બનાવાનું આયોજન કર્યું છે. અને પ્રથમ તબક્કે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ અમદાવાદની સરકારી શાળાઓ પણ સ્માર્ટ બની રહી છે, ત્યારે અમદાવાદમાં આજે એક સાથે 31 જેટલી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચ્યુ છે, CM

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કર્ણાટક સંઘ-અમદાવાદની 75મી વર્ષગાંઠ નિમિત્તે હીરક જયંતિ સમારોહના ભાગરૂપે યોજાયેલો ‘કર્ણાટક દર્શન 2022’નો શુભારંભ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  હેરિટેજ સિટી અમદાવાદના આંગણે આયોજિત કર્ણાટક દર્શન- 2022ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાની સાથે જ કર્ણાટક સંઘ-અમદાવાદની […]

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિને […]

રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રોડ-રસ્તાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ કરી સર્વગ્રાહી સમીક્ષા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી.  મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની […]

ગાંધીનગરમાં CMના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં સાત પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરાયું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં 6 જિલ્લાના નાગરિકોના  7 પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવામાં આવ્યું હતું. પ્રજાજનોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળીને ટેકનોલોજીના માધ્યમથી તેનું નિરાકરણ લાવવામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામાં અને તેનું […]

રાજકોટમાં બુધવારે રામવનનું લોકાર્પણ અને લોકમેળાનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરાશે

રાજકોટઃ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 9.30 કરોડના ખર્ચે આજી ડેમની બાજુમાં બનાવવામાં આવેલા ભવ્ય રામવન (અર્બન ફોરેસ્ટ)નું નિર્માણ કાર્ય પુરૂ થઇ ચૂકયું છે ત્યારે હવે ઉદઘાટનનો દિવસ લગભગ નકકી થઇ ગયો છે.  મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત વખતે તેમને રામવનનું લોકાપર્ણ અને લોકમેળાનું ઉદઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રીએ અનુમતી આપી છે.  આ રામવનનું લોકાર્પણ તા. […]

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે: મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી […]

યુવા મોડેલ એસેમ્બલીનો ગુજરાત પ્રયોગ: CM, મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહના પ્રેક્ષક બન્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો તથા ધી સ્કૂલ પોસ્ટના ઉપક્રમે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવેલું છે. આ મોડેલ યુવા એસેમ્બલીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબહેન આચાર્ય સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, શાસકપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો અને વિધાનસભાના દંડક પંકજભાઇ વગેરે પ્રેક્ષક દીર્ઘામાં ગોઠવાયા હતા […]

ગાંધીનગરમાં CM સાથે પાટીદાર અગ્રણીઓની ફરીવાર બેઠક યોજાશે, સમાજના પ્રશ્નો અંગે કરાશે ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યા છે, ત્યારે વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમાજના પ્રશ્નો અંગે સત્તાધારી પક્ષનું નાક દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજમાં પણ પોતાની માગણી માટે સળવળાટ શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બિન અનામત આયોગ સહિત 25 મુદ્દે પાટીદાર અગ્રણીઓની ગુરૂવારે મહત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code