1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતના સાંનિધ્યમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને હરિયાણના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટરે વિચાર વિમર્શ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતો અને કૃષિ સમૃદ્ધ બનશે. તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને મજબૂત વિકલ્પ તરીકે ગણાવી હતી અને જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બનશે. રાજ્યપાલએ ખેડૂતો અને કૃષિની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે 200 એકર ભૂમિમાં પથરાયેલા પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ફરીને અહીં થઇ રહેલી પ્રાકૃતિક કૃષિને પ્રત્યક્ષ નિહાળી હતી. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઓછા કૃષિ ખર્ચમાં પૂરતું ઉત્પાદન મેળવી શકાય છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ મોડેલથી મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળના મહાનુભાવો પ્રભાવિત થયા હતા.

રાજ્યપાલના નિમંત્રણ પર મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાતે ગયેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના કૃષિ મંત્રી  રાઘવજી પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ  પંકજકુમાર તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ  મુકેશ પુરી પણ જોડાયા હતા. આ પ્રસંગે હરિયાણા રાજ્યના કૃષિ મંત્રી  જે. પી. દલાલ તેમજ ઊર્જા મંત્રી રણજીતસિંહ ચોટાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code