1. Home
  2. Tag "Complete"

સંપૂર્ણ સ્ટીલ ઉદ્યોગમાં આરઆઈએનએલનું સ્થાન વિશેષ છેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ આરઆઈએનએલ માટે કુલ રૂ. 11,440 કરોડનાં પુનર્ગઠનની યોજનાને મંજૂરી આપી છે. આરઆઈએનએલ એક શિડ્યુલ – ભારત સરકારની 100 ટકા માલિકી સાથે સ્ટીલ મંત્રાલયનાં વહીવટી નિયંત્રણ હેઠળનું સીપીએસઈ છે. આરઆઈએનએલ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (વીએસપી)નું સંચાલન કરે છે, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં સરકારી ક્ષેત્ર હેઠળનો એકમાત્ર […]

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે પૂર્ણ થશે? નિર્માણ કાર્યની સમીક્ષા કરાઈ

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે રામ જન્મભૂમિ ખાતે ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે L&T અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડના અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ બાકી બાંધકામ કામો માટે સંભવિત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રામ મંદિર નિર્માણ […]

પુરીના જગન્નાથ મંદિરમાં નવા વર્ષથી લાગુ થશે નવી વ્યવસ્થા, જાણો દર્શન માટેના નવા નિયમો

ઓડિશા સરકારે પુરીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા સુધારવા માટે નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. આ પહેલનો હેતુ ભક્તોને દર્શન દરમિયાન વધુ સારી સુવિધા આપવાનો છે. ઓડિશાના કાયદા મંત્રી હરિચંદને જાહેરાત કરી છે કે જરૂરી કામ 27 કે 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. તે […]

અયોધ્યામાં 14 કોસી પરિક્રમા પૂર્ણ, લાખો ભક્તો રામનગરી પહોંચ્યા અને તમામ રેકોર્ડ તોડ્યા

અયોધ્યાની ચૌદ કોસી પરિક્રમા પૂર્ણ થઈ હતી, જેમાં વિવિધ વિસ્તારોમાંથી 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાનો અંદાજ છે. અધિકારીઓએ આ જાણકારી આપી. અયોધ્યા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) ચંદ્ર વિજય સિંહે અહીં જારી કરેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, પરિક્રમા શુભ મુહૂર્ત પ્રમાણે રવિવારે પૂર્ણ કરવામાં આવી હતી અને અંદાજિત 30 થી 35 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો […]

નાણામંત્રી સીતારમણ મેક્સિકોનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ મેક્સિકોનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચી ગયા છે. રવિવારે મોડી સાંજે નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય રાજદૂત અને કોન્સ્યુલ જનરલ દ્વારા સીતારામનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાણા મંત્રાલયે આજે ‘X’ પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું […]

વિકસિત ભારત@2047 ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે: ગુજરાતના મુખ્યમંત્રી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ​મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્‍ટ-રોડમેપ તૈયાર કર્યો છે. ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ […]

IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે આઈપીએલમાં 3000 રન પૂરા કર્યા

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કેપ્ટન શુભમન ગિલે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં 3,000 રન પૂરા કર્યા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં, રાજસ્થાન રોયલ્સ (આરઆર) સામેની આઈપીએલ મેચ દરમિયાન, યુવા બેટ્સમેન ગિલ આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો. મેચમાં 197 રનના ટાર્ગેટનો પીછો કરતા ગિલે, 44 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. તેના […]

મિશન અમૃત સરોવર હેઠળ 50 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ પૂર્ણ

નવી દિલ્હીઃ વડાપ્રધાને 24મી એપ્રિલ, 2022ના રોજ ભવિષ્ય માટે પાણી બચાવવા માટે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી હતી. મિશનનો ઉદ્દેશ્ય આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરોનું નિર્માણ અને વિકાસ કરવાનો છે. એકંદરે, આ મિશન હેઠળ, 15 ઓગસ્ટ, 2023 સુધીમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, […]

તૂર્કી-સિરીયામાં ઓપરેશન દોસ્ત પૂર્ણઃ સ્થાનિકોએ આભાર વ્યક્ત કરીને સેવાના કાર્યને વધાવ્યું

નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધારે લોકોના મોત થયાં છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ મુશ્કેલીમાં મુકાયેલા તૂર્કી-સીરિયાની પ્રજાની મદદ માટે આગળ આવી હતી. એનડીઆરએફ અને તબીબોની ટીમ બંને દેશમાં રાહત કામગીરી માટે ગઈ હતી. ભારતીય બચાવ ટીમની પ્રશંસા તૂર્કી અને સિરીયાની પ્રજા તથા દુનિયાના વિવિધ દેશોએ કરી […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ, દર્શન સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમ દરમિયાન ભાવિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખૂલ્લુ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code