1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસ અને મલિલ્કાર્જન ખડગેની માનસિકતા સનાતન વિરુદ્ધનીઃ હિમંતા સરમા બિસ્વા

લખનૌઃ પ્રયાગરાજના સંગમમાં ભાજપ નેતાઓના પવિત્ર સ્નાન પરની ટિપ્પણી કરનાર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપર આસામના સીએમ હિમંતા સરમા બિસ્વાએ આકરા પ્રહાર કર્યાં છે. સીએમ શર્માએ કહ્યું કે તેમનું નિવેદન સનાતન વિરુદ્ધની માનસિકતા દર્શાવે છે. તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને પોતાનું વલણ નક્કી કરવું જોઈએ. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, મહાકુંભ પર કોંગ્રેસ પ્રમુખ […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસ સામે SPએ મોરચો ખોલ્યો, AAP માટે અખિલેશ અને SPના સાંસદો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવ અને તેમના પક્ષના સાંસદો આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારો માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ મંગળવારે આ માહિતી આપી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. અખિલેશ યાદવ 30 જાન્યુઆરીએ રિઠાલામાં AAP વડા અરવિંદ કેજરીવાલ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કુલ 699 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મતદાન 5 ફેબ્રુઆરીના રોજ થશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ત્રણેય પક્ષો એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

AMCની મુખ્ય કચેરી તથા અન્ય મિલકતોના લાઈટ બીલ મામલે વિપક્ષના સત્તાપક્ષ ઉપર આકરા પ્રહાર

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ કોર્પોરેશન દ્વારા દર વર્ષે મુખ્ય કચેરી, વિવિધ ઝોનલ કચેરીઓ, સબ ઝોનલ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર અને સ્ટ્રીટ લાઈટ બીલ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાર સિસ્ટમને પ્રાધાન્ય આપીને પર્યાવરણને બચાવવા સૂચનો આપવામાં આવે છે. પરંતુ મનપાના સત્તાધીશોને પીએમની સૂચનનો અમલ કરવામાં કોઈ રસ નહીં હોવાનો વિપક્ષી […]

કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અલગ સ્મારક બનાવવાના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નથી. શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ […]

સપાએ કોંગ્રેસ છોડી દીધી! ચૂંટણીમાં યુપીના બે છોકરાઓની જોડી તૂટશે?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી, જેઓ લોકસભા ચૂંટણી 2024માં ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકસાથે ચૂંટણી લડશે, તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અલગ થઈ શકે છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મંચ શેર કર્યો હતો. ત્યારથી અટકળો ચાલી રહી હતી. હવે સપાના પ્રવક્તા ફખરુલ હસન ચાંદે […]

કોંગ્રેસના પોસ્ટરમાં ભારતના નકશામાં અડધુ કાશ્મીર દર્શાવાતા વિવાદ સર્જાયો, ભાજપાએ કોંગ્રેસ ઉપર કર્યાં પ્રહાર

કોંગ્રેસના બેલગવી અધિવેશનમાં પોસ્ટર પર પ્રદર્શિત ભારતના નકશાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે પોસ્ટરમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “Belagavi ઇવેન્ટમાં કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો અધૂરો નકશો મૂક્યો હતો. તે પોસ્ટરમાં સોનિયા ગાંધી, […]

ભાજપ અને કોંગ્રેસને એક વર્ષમાં મળ્યું સૌથી વધારે ફંડ

નવી દિલ્હીઃ 2023-24માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંનેના ફંડમાં વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપને આ વર્ષે અંદાજે 2,244 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ત્રણ ગણા વધુ છે. જ્યારે કોંગ્રેસને 288.9 કરોડ રૂપિયા મળ્યા જે 2022-23ની સરખામણીમાં વધુ છે. આ ડેટા ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code