1. Home
  2. Tag "COngress"

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદના ત્રણ વોર્ડમાં ભાજપની પેનેલોની જીત

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડથી જ ભાજપ આગળ ચાલી રહી છે. દરમિયાન શહેરના જોધપુર, થલતેજ અને વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. આમ હવે કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે. ભાજપની પેનલના વિજયને પગલે કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ છ કોર્પોરેશનમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણી તા. 21મી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરીમાં શરૂઆતથી ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ મતદારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવારો ટ્રેન્ડમાં આગળ હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં મતગણતરીમાં ભાજપ આગળ હોવાથી […]

કોર્પોરેશન ચૂંટણીઃ આવતીકાલે યોજાશે મતગણતરી, બપોર સુધીમાં ચિત્ર થઈ જશે સ્પષ્ટ

અમદાવાદ : ગુજરાતમાં ગઈકાલે અમદાવાદ સહિત છ કોર્પોરેશન માટે મતદાન યોજાયું હતું. એકંદર તમામ બેઠકો ઉપર સરેરાશ 42 ટકા જેટલું મતદાન યોજાયું હતું. તેમજ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં છે. આવતીકાલે છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરી યોજાશે. જો કે, ઓછા મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિધાનસભામાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરાશે

અમદાવાદઃ આગામી દિવસોમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું હોવાથી સરકાર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તા. 2 માર્ચના બદલે નાણાંમંત્રી નીતિન પટેલ હવે 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 28મી માર્ચના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ […]

કોંગ્રેસના નેતાઓ માનસિક રીતે ચૂંટણી હારી ચુક્યાં છેઃ નીતિન પટેલ

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીને મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. વિવિધ રાજકીયપક્ષો દ્વારા અંતિમ ઘડીએ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત […]

કોર્પોરેશન ચૂંટણીઃ ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં, આવતીકાલે પ્રચાર પડઘમ થઈ જશે શાંત

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત છ મહાનગર પાલિકામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા અંતિમઘડીનો ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. નિયમ અનુસાર આવતીકાલે શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે તા. 21મી માર્ચના […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 39 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તેમજ અત્યારે જોરશોરથી રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો મળ્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની લગભગ 39 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગજવશે ચૂંટણીસભાઓ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જેથી હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસે અમદાવાદ સહિત […]

કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરીને વર્ગ-3 અને 4ના કર્મચારીઓની કરાશે ભરતીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ત્યારે કોર્પોરેશનમાં સત્તા હાંસલ કર્યાંના 24 કલાકમાં જ આંદોલન કરી રહેલા સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. એટલું જ નહીં પ્રજાનો એક વર્ષનો વેરો પણ માફ કરવાનું વચન કોંગ્રેસે છ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બહાર પાડેલા ઢંઢેરામાં આપ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદ સહિત છ શહેરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code