1. Home
  2. Tag "CORONA"

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં હોળી-ધૂળેટીની ઉજવણીની નહીં અપાય મંજૂરી !

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી અમદાવાદ સહિતના શહોરમાં કોરોના મહામારીને પગલે હોળી-ધૂટેળીની ફાર્મ હાઉસ અને કલબમાં ઉજવણીની મંજુરી આપવામાં નહીં આવે. જો કે, ધાર્મિક વિધી માટે છુટછાટ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની મહામારીને પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હોળી-ધૂટેળીના તહેવારની ઉજવણીને […]

સુરતની સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : વાલીઓએ શાળાઓ બંધ કરવા કરી રજૂઆત

અમદાવાદઃ ડાયમન્ટ સિટી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થી, શિક્ષકો સહિતના સ્ટાફનો કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેથી વાલીઓમાં ભય ફેલાયો છે. તેમજ તેમણે સ્કૂલો બંધ કરવા રજૂઆત કરી છે. સુરતમાં સતત બીજા દિવસે છ વિદ્યાર્થી અને બે શિક્ષકો […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ભયભીતઃ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલોમાં પણ જોવા મળી રહી છે. સંતાનો કોરોના સંક્રમિત ના થાય તે માટે ચિંતિત વાલીઓએ હવે બાળકોને સ્કૂલ મોકલતા પણ અચકાઈ રહ્યાં છે. પહેલા સ્કૂલમાં 50થી 55 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. જો કે, હવે માત્ર 30થી 35 ટકા વિદ્યાર્થીઓ […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા બે દિવસ તમામ મોલ બંધ રાખવા આદેશ

અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન વકરે તે માટે બે દિવસ માટે તમામ મોલને બંધ રાખવા માટે મ્યુનિસપલ કોર્પોરેશને આદેશ કર્યો હતો. જેથી આજે તમામ મોલ બંધ રહ્યાં હતા. તેમજ આવતીકાલે પણ તમામ મોલ બંધ રહેશે. આ ઉપરાંત ટેક્સટાઈલ્સ માર્કેટમાંથી કોરોના વાયરસના પોઝિટિવ […]

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ રાજ્ય સરકારે ઘણા શહેરોમાં કડક પ્રતિબંધ લાદ્યા મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા જિલ્લાઓમાં વહીવટી તંત્રની સખ્તી હોવા છતાં કોઈ ખાસ પરિણામ સામે આવી રહ્યા નથી. વર્લ્ડોમીટરના ડેટા મુજબ 10 માર્ચે રશિયામાં કોરોના વાયરસના 9,079, બ્રિટનમાં 5,926, […]

દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત ત્રીજા ક્રમે, 21 લાખથી વધારેને અપાઈ રસી

અમદાવાદઃ કોરોના મહામારીને મહાત આપવા માટે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. ત્યાર બાદ 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં કોરોના […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું શરૂ કરાયું ટેસ્ટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સરકારે તમામ સ્કૂલોને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ કર્યાં છે. બીજી તરફ સુરતમાં કોર્પોરેશન દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થી, […]

ગુજરાતમાં છ મહિનામાં માસ્ક વિના 16.78 લાખ લોકો પકડાયાઃ 168 કરોડનો દંડ કરાયો વસુલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેનારા અને સામાજીક અંતર નહીં જાળવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 6 મહિનાના સમયગાળામાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને રૂ. 168 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય […]

કોરોના વચ્ચે લોકોનું બેદરકારી અને લાપરવાહીભર્યુ વલણ ચિંતાજનકઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કોરોના સંદર્ભે લોકોનું બેદરકારી અને લાપરવાહીભર્યુ વલણ ચિંતાજનક છે. જેના લીધે રાજ્ય સરકારે ફરી એકવાર લૉકડાઉન કરવું ન પડે તે માટે માસ્ક પહેરવા સહિતના કડક કાયદાઓનું પાલન લોકો પાસે કરાવવું જોઈએ. તેમજ લગ્નપ્રસંગ કે […]

કોરોનાનું સંકટ ઘેરાયું : આણંદના સારસા ગામમાં તા. 16 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના સારસા ગામમાં આજથી તા. 16મી માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે દુકાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code