1. Home
  2. Tag "CORONA"

વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ, ICMR નો દાવો  

ICMR દ્વારા ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ વેક્સિન લીધેલ લોકોમાં મૃત્યુદર ઘણો ઓછો દિલ્હી : કોરોના વાયરસ મહામારી દરમિયાન દૈનિક કેસો ઘટી રહ્યા છે, પરંતુ જોખમ હજી સુધી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સતત મહામારીના માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. […]

કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની શકયતા: ICMR

બીજીની સરખામણીએ ત્રીજી ઘાતક નહીં હોય નિયંત્રણો હટ્યા બાદ પોઝિટિવ કેસમાં થયો વધારો દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શકયતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શકયતા છે. જો કે, બીજી લહેરની સરખામણીમાં તેની અસર ઓછી હશે. તેવી શકયતાઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ડિવીઝન ઓફ એપિડિમિયોલોબી એન્ડ કોમ્યુનિકેબલ […]

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું પોતાનું સ્વરૂપ, ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળ્યો  

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું સ્વરૂપ ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળી આવ્યો    જેનું નામ AY3 આપવામાં આવ્યું દિલ્હી : હાલ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ કોઈક રાજ્યમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો મળી આવે છે. ત્યારે કોરોના વાયરસના જિનોમ સિક્વિન્સીંગને લગતી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, દેશમાં અત્યાર […]

ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આજથી ધો.12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો હતો. મહિનાઓ પછી રાજ્યભરની ધો.12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓથી ધમધમતી જોવા મળી હતી. માસ્ક નહીં તો ટાસ્ક નહીં’ના નિયમ અને સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે રાજ્યભરની ગ્રાન્ટેડ અને બિનગ્રાન્ટેડ શાળાઓમાં આજે પ્રથમ દિવસે 50થી 70 ટકા વિધાર્થીઓની હાજરી રહી […]

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.: કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરાશે

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. યુનિવર્સિટીએ કેટલાક ઉદાત્ત નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાસ્પદ બની શકે છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક મોટો માનવતાવાદી નિર્ણય કર્યો છે કે કોરોનાને કારણે […]

ગુજરાતઃ આવતીકાલથી શાળાઓમાં ધો. 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે નિયંત્રણો ખૂબજ હળવા કરી દેવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક વર્ષમાં 15 જુલાઈથી ધોરણ 12 માટે સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની શિક્ષણમંત્રીએ 5 જુલાઈએ જાહેરાત કરી હતી. ત્યારબાદ 9 જુલાઈએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જારી […]

કોરોના કાળઃ ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોમાં ડીજીટલ આઈ સ્ટ્રેન બીમારીનો ખતરો વધ્યો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં નથી આવતું. વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. બાળકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરમાં સતત જોતા હોવાથી તેમની આંખોની રોશનીને અસર પડે છે. તેમજ આંખો સુકાવાની ફરિયાદો વધતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સતત લેપટોપ કે મોબાઈલ […]

ભારતઃ કોરોના મહામારી વચ્ચે એક મહિનામાં 1.50 કરોડ વ્યક્તિઓએ ગુમાવી રોજગારી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. તેમજ લાખો લોકોએ કોરોના કાળમાં રોજગારી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર મોંઘવારીના માર વચ્ચે કોરોનાને કારણે તબીબી ખર્ચ વધતા હવે લોકો આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ઉપર કાપ મુકી રહ્યાં છે. એટલું […]

કેરળમાં 17-18 જુલાઇના રોજ સંપૂર્ણ લોકડાઉન,બેંકો પણ રહેશે બંધ

 કેરળમાં કોરોના અને ઝીકા વાયરસનો કહેર ! 17-18 જુલાઇના રોજ રહેશે સંપૂર્ણ લોકડાઉન લોકડાઉન દરમિયાન બેંકો પણ રહેશે બંધ તિરુવંતપુરમ: દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી રહી છે, પરંતુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં દૈનિક સંખ્યામાં સંક્રમણ હજુ પણ ભયાનક છે. કેરળમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે 17 અને 18 જુલાઇએ સંપૂર્ણ લોકડાઉન […]

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 38.50 કરોડને પાર, મંગળવારે 34 લાખથી વધુ લોકોને રસી મળી

કોરોનાથી બચવા વેક્સિન ખૂબ જ જરૂરી દેશમાં કોરોના રસીકરણનો આંકડો 38.50 કરોડને પાર મંગળવારે 34 લાખથી વધુ લોકોને મળી વેક્સિન દિલ્હી :દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે દેશમાં કોરોના રસીકરણ પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code