1. Home
  2. ગુજરાતી
  3. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.: કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરાશે
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.: કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરાશે

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.: કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરાશે

0
Social Share

અમદાવાદઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. યુનિવર્સિટીએ કેટલાક ઉદાત્ત નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટે આશાસ્પદ બની શકે છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિશ્રી પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વમાં બોર્ડ ઑફ મેનેજમેન્ટે એક મોટો માનવતાવાદી નિર્ણય કર્યો છે કે કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. એટલું જ નહિ, તેના પરિવારને રૂ. 11,000ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદની તાજેતરમાં મળેલી સર્વોચ્ચ સત્તામંડળની (બોર્ડ ઑફ મેનેજમેન્ટની) બેઠકમાં કોવિડ-19 મહામારીમાં સ્વજન ગુમાવનારને નિઃશુલ્ક પ્રવેશ અંગે જે પરિપત્ર કરવામાં આવેલો, તેમાં પણ વધારે છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19 મહામારીમાં માતા-પિતા ગુમાવ્યા હોય, ઘરમાંથી એકમાત્ર રોજીરોટી કમાનાર વ્યક્તિ તરીકે પતિ, પિતા કે દીકરો ગુમાવ્યો હોય કે ઘરમાં રોજીરોટી કમાનાર કોઈ પણ વ્યક્તિ રહી ન હોય તેવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ યોજના હેઠળ ઓગસ્ટ-2021ના પ્રવેશસત્રમાં વિનામૂલ્યે તથા એકદમ આસાનીથી પ્રવેશ મેળવી શકશે તેમજ અભ્યાસક્રમ પૂરો કરીને પોતાની કારકિર્દી ઘડી શકશે. કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવશે. એટલું જ નહિ, તેના પરિવારને રૂ. 11,000ની આર્થિક સહાય પણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code