1. Home
  2. Tag "court"

સુરતઃ સામુહિક બળાત્કાર કેસમાં બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

અમદાવાદઃ સુરતના ડુમસ પાસે યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવીને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો આદેશ કર્યો હતો. તેમજ પીડિતાને રૂ. 5 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. અગાઉ આ કેસમાં અદાલતે બે આરોપીઓને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર સુરતમાં ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા […]

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

શાખ બચાવવા ઈમરાન ખાનનો અંતિમ દાવઃ અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો ફરીથી કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર ઉપર સંકટ વધારે ઘેરાઈ રહ્યું છે. તેમજ રાતના 8 વાગ્યાની આસપાસ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન સમગ્ર મામલો ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે. પીએમ ઈમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે. સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને […]

પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો. કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં […]

છત્તીસગઢઃ કોર્ટે ભગવાનને હાજર થવા નોટિસ ફટકરતા ભક્તો આખુ શિવલીંગ ઉખાડી લઈ ગયા

નવી દિલ્હીઃ છત્તીસગઢની એક કોર્ટમાં ભગવાન હાજર થયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સત્તાધીશોએ ભગવાન શંકરને આરોપી બનાવીને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી. આ પછી, કોર્ટમાં હાજર ન થવાની સ્થિતિમાં, 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું હતું. ભગવાનને કોર્ટમાં હાજર કરવા શક્ય નહીં હોવાથી ભક્તો આખુ શિવલિંગ ઉઠાવીને કોર્ટમાં લઈ ગયા હતા. જેથી […]

સુરતઃ માતા-દીકરી ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કરનારા આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ સુરતમાં માતા-પુત્રી ઉપર બળાત્કાર ગુજારીને તેમની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની અને તેને મદદગારી કરનાર આરોપીને આજીવન કેસની સજા સંભળાવી હતી. મુખ્ય સુત્રધાર હર્ષસહાય રામરાજ ગુર્જર અને તેને મદદ કરનાર હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલે બેસી તેવી સજા કરવાની માંગણી […]

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની મુશ્કેલી વધી, કોર્ટે ફરમાવી 5 વર્ષની સજા

નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડનો સામનો કરતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. ડોરાંડા કેસમાં ખાસ સીબીઆઈ અદાલતે લાલુ પ્રસાદ યાવદને ગુનેગાર ઠરાવ્યાં હતા. સજા ઉપરની સુનાવણી બાદ અદાલતે લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા ફરમાવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 60 લાખનો દંડ ફરમાવ્યો છે. ચારા કૌભાંડના ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે […]

બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજાનો આદેશ સાંભળ્યા બાદ પણ સફદર નાગોરીને કોઈ અફસોસ નથી !

ભોપાલઃ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે સુનાવણીના અંતે 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. જેમાં પ્રતિબંધિત સીમીના છ આતંકવાદીઓ ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે. જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ મનાતા સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાંસીની સજાના આદેશ બાદ પણ નાગોરી નોર્મલ જોવા મળ્યો હતો. તેમજ તેણે […]

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં 1100થી વધારે સાક્ષીઓની જુબાની લેવાઈ

સાબરમતી જેલમાં સર્જાયેલા સુરંગકાંડનો કેસ પડતર બોમ્બ બ્લાસ્ટમાં 500થી વધારે ચાર્જશીટ કરાઈ અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે 48 આરોપીઓને કસુરવાર ઠરાવીને 38ને મોતની સજા તથા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 1163 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. જ્યારે હલુ આ કેસમાં આઠ આરોપીઓને પોલીસ […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ 38 આરોપીઓને મોતની સજા

11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચુકવવા આદેશ કરાયો અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અદાલતે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે દોષિત ઠરેલા 49 આરોપીઓ પૈકી 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે અન્ય 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદીની સજાનો આદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code