બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત
નવી દિલ્હીઃ અવિભાજિત બિહારના રૂ. 950 કરોડના ચારા કૌભાંડ સંબંધિત પાંચમા કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાંચીની સીબીઆઈ કોર્ટે ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડની ઉચાપતના કેસમાં તેમને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે લાલુના નજીકના નેતા જગદીશ શર્મા અને ધ્રુવ ભગત સહિત […]