1. Home
  2. Tag "court"

ગુજરાત બજેટઃ કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2014 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પીડિતોને ઝડપી ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ દ્નારા ફાસ્ટટ્રેક કોર્ટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. રાજ્ય સરકારે વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. જેમાં કાયદા વિભાગ માટે કુલ રૂ. 2014 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. […]

આસારામની મુશ્કેલીઓ વધી, બળાત્કાર કેસમાં કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો

અમદાવાદઃ બળાત્કાર કેસનો સામનો કરતા આસારામને દુષ્કર્મના કેસમાં ગાંધીનગર અદાલતે સુનાવણીના અંતે કસુરવાર ઠરાવીને આજે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમજ પીડિતાને રૂ. 50 હજારનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. આ કેસમાં ગાંધીનગર કોર્ટે બળાત્કારના કેસમાં અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની […]

દેશમાં એક વર્ષના સમયગાળામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 165 આરોપીઓને અદાલતોએ મોતની સજા ફરમાવી

નવી દિલ્‍હી : દેશમાં ગુનાખોરીને ડામવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળી રહે તે માટે ન્યાયીક કાર્યવાહી પણ ઝડપી પૂર્ણ કરવા સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 165 કેદીઓને અદાલતોએ મૃત્યુદંડની […]

ગોરખનાથ મંદિરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી

લખનૌઃ ગોરખપુરમાં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી મુર્તજા અબ્બાસને ખાસ એનઆઈએ કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. મુર્તજા ઉપર યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને આતંકવાદી જાહેર કરાયો હતો. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લખનૌની એનઆઈએ/એટીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપીએ એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કર્યો […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

બાંગ્લાદેશની કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ વાલી તરીકે માતાનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં સંતાનો પાછળ વાલી તરીકે પિતાનું નામ લખવામાં આવે છે. લોકશાહીને વરેલા ભારતમાં અનેક સંતાનોની પાછળ માતાનું નામ લખાય છે. દરમિયાન ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓ વાલી તરીકે પિતાના બદલે માતાનું નામ લખી શકે તેવો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, હાઇકોર્ટે આદેશ […]

ગરીબોને મદદ કરવાનો ઈદારો ધર્મ પરિવર્તનનો ના હોવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ગેરકાયદે ધર્માંતરણ પર આકરી ટીપ્પણી કરી છે. પૈસા, ખોરાક અથવા દવાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનારાઓને ખોટા ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માંગે છે તેમણે મદદ કરવી જોઈએ. પરંતુ તેની પાછળનો હેતુ ધર્મ પરિવર્તનનો ના હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની […]

સત્યેન્દ્ર જૈનને મોટો ફટકો, કોર્ટે જેલમાં ‘સ્પેશિયલ ફૂડ’ની અરજી ફગાવી

દિલ્હી:તિહાડમાં બંધ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની સ્પેશિયલ ફૂડ આપનારી અરજી પર આજે રાઉવ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.અરજીમાં સત્યેન્દ્ર જૈને જેલમાં ડ્રાય ફૂટસ અને ફળો આપવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સત્યેન્દ્ર જૈન વતી, તેમના ધાર્મિક ઉપવાસના કારણે, […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]

તપાસના નામે કોઈનું પણ ઘર તોડી પાડવની મંજૂરી આપવી યોગ્ય નથીઃ ગૌહાટી હાઈકોર્ટ

નવી દિલ્હીઃ આસામ, યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં ગુનેગારોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી વચ્ચે ગૌહાટી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ ફોજદારી કાયદા હેઠળ ઘરો પર બુલડોઝર ચલાવવાની કોઈ જોગવાઈ નથી. ભલે કોઈ તપાસ એજન્સી કોઈપણ અત્યંત ગંભીર બાબતની તપાસ કરતી હોય. ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરએમ છાયાએ આ ટિપ્પણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code