1. Home
  2. Tag "Demand"

અમદાવાદમાં ચાની કિટલી પર પેપર કપ પર પ્રતિબંધ બાદ માટીની કૂલડીઓની ડિમાન્ડ વધી

અમદાવાદ:  શહેરમાં ચાની કીટલીઓ પર ગ્રાહકોને પેપર કપમાં ચા આપવામાં આવતી હોવાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણને પણ નુકશાન થાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ચાની કિટલી ધારકોએ પણ પેપર કપને બદલે માટીની કૂલડીમાં ચા આપવાનો રસ્તો શોધી કાઢ્યો છે. માટીની કુલ્લડી બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી […]

ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકોએ કરી ફી વધારાની માગણી, રાજ્ય સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શિક્ષણ મોંઘુદાટ બની રહ્યું છે. ખાનગી શાળાઓના સંચાલકોએ ફરીવાર ફીમાં વધારો કરવાની માગણી કરી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આગામી શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક સ્વનિર્ભર શાળાઓમાં ફીમાં અંદાજે 30 ટકાનો વધારો કરવાની માંગણી કરી છે. અગાઉ જે પ્રાથમિક સ્કૂલ માટે 15 હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી તે […]

ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના નિવૃત શિક્ષકોના સ્થાને પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માગ

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિકથી લઈને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. તેમજ ઘણાબધા  શિક્ષકો વય માર્યાદાને કારણે સેવા નિવૃત થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ પર તેની અસર પડી રહી છે. નિવૃત થતાં શિક્ષકોની જગ્યા પર પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવા શાળા સંચાલકોએ માગણી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  શાળાઓમાં તા.31 મેથી 31 ઓક્ટોબર દરમિયાન ઘણાબધા  શિક્ષકો […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

ઓક્ટોબરમાં વાહનોના વેચાણમાં 48%નો વધારો,તહેવારોની સિઝનમાં માંગમાં વધારો થતા થયો ફાયદા

મુંબઈ:તહેવારોની સીઝનની માંગને કારણે ઓક્ટોબર મહિનામાં દેશમાં વાહનોના છૂટક વેચાણમાં 48 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર્સ એસોસિએશન (FADA) એ સોમવારે આ માહિતી આપી.ઓક્ટોબરમાં વાહનોનું કુલ છૂટક વેચાણ 20,94,378 યુનિટ હતું.જે ઓક્ટોબર, 2021ના 14,18,726 યુનિટના આંકડા કરતાં 48 ટકા વધુ છે.ઑક્ટોબર 2022 માં, વાહનોની નોંધણી પ્રી-કોવિડ એટલે કે ઑક્ટોબર 2019 કરતાં આઠ ટકા […]

થોરિયાળી ડેમમાં અપુરતો પાણીનો જથ્થો, સાયલાને વખતપર જુથ યોજનાનું પાણી આપવા માગ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા પંથકમાં ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ન હોવાથી પીવાના પાણીની સમસ્યા ઉનાળાના આગમન પહેલા જ સર્જાવવાની શક્યતા છે. હાલ થોરિયાળી ડેમમાં 30 દિવસ જેટલું જ પાણી રહ્યું છે.આથી સરંપંચ અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી વખતપર જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડવા આવે તેવી માગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાયલાના સરપંચ […]

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા મોરબી અને માળિયા વિસ્તારના ખેડુતો પરેશાન

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ખેડુતો રવિ પાકની વાવણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોએ આગોતરા વાવણીનું કાર્ય પૂર્ણ પણ કરી દીધી છે. જ્યારે ઘણા ખેડુતોના ખેતરોમાં ખરીફ પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં સિચાઈનું પાણી આવતુ નથી. જેથી આ વિસ્તારના ખેડૂતોને પાકને બચાવવા માટે મુશ્કેલી ઊભી થઇ […]

ચીનઃ સરકાર સામે પ્રજામાં વ્યાપક રોષ, અનેક વિસ્તારોમાં જિંનપિંગને હટાવવાની માંગણી સાથે બેનરો લાગ્યાં

નવી દિલ્હીઃ ચીનમાં વર્તમાન સરકાર સામે અસંતોષ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેઇજિંગમાં દુકાનોની બહાર અચાનક ઘણા બેનરો દેખાયા. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવા અને કોરોના પ્રતિબંધો ખતમ કરવા જેવા ઘણા સૂત્રો લખેલા હતા. જિનપિંગ વિરુદ્ધ આ પ્રકારના બેનરો પહેલીવાર જોવા મળ્યા છે. ચીનની રાજધાની બેઇજિંગના માર્ગો પર લાગેલા આ બેનરોનાં કેટલાંય ચિત્રો […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]

વઢવાણના ખોડુ સહિતના ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ ખાતે ખેડુતોની બેઠક મળી હતી. જેમાં જો ખોડુ ગામની સીમમાં  નર્મદાના પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. નર્મદાના પાણી સિંચાઈ માટે આપવાની માગ ખેડુતો ઘણા સમયથી કરી રહ્યા છે. હજુ પણ આગામી સપ્તાહમાં સરકારને રજુઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code