1. Home
  2. Tag "Dwarka"

દ્વારકાના જગત મંદિરમાં ધનુર્માસને લીધે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધિશના મંદિરમાં ધનુર્માસને લીધે દર્શન મનોરથના કાર્યક્રમોનુંન આયોજન, મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન માટે ઉમટી પડશે, દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજાશે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરમાં ધનુર્માસના ઉત્સવો […]

આજે જન્માષ્ટમી, દ્વારકા, ડાકોર અને શામળાજી બન્યુ કૃષ્ણમય, ભાવિકોની ભીડ ઉમટી

ડાકોર મંદિરને આસોપાલવના લીલા તોરણો અને ધજા-પતાકાથી શણગારાયું, ડાકોરમાં ઠાકોરજીને રાતે 12 વાગ્યે અભિયંગ સ્નાન બાદ સવા લાખનો મુંગટ પહેરાવાશે, ગોપાલને સોનાના પારણે ઝૂંલાવાશે અમદાવાદઃ આજે જન્માષ્ટમીનું પર્વ ગુજરાતભરમાં ધામધૂમથી ઊજવવમાં આવી રહ્યું છે. ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, દ્વારકાના દ્વારકાધિશનું મંદિર અને શામળાજી ઠાકોરજીના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ત્રણેય મંદિરોને રંગબેરંગી […]

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ ભારે ધામધૂમથી ઊજવાશે, દ્વારકાધિશ મંદિરને રોશનીથી શણગારાયું

દ્વારકાની હોટલો, બજારોને પણ રંગબેરંગી રોશનીથી શણગાર કરાયો, દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, દ્વારકાઃ ગુજરાતભરમાં સોમવારે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી મનાવવામાં આવશે. જેમાં દ્વારકાના દ્વારકાધિશ મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણનગરી દ્વારકામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે દ્વારકા નગરીને […]

દ્વારકા નજીક સુરતના ઉદ્યોગતિ કાર સાથે પાણીના વહેણમાં તણાયા, ઝાડ પકડીને જીવ બચાવ્યો

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં અનેક યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન સુરતના એક ઉદ્યોગપતિ પોરબંદરથી પોતાની લકઝરી કારમાં દ્વારકા આવી રહ્યા હતા. ત્યારે હાઈવેના એક ડીપ બ્રિજ પર ધસમસતા પાણીમાં મર્સિડીઝ કાર સાથે તણાયેલા સુરતના યુવા ઉદ્યોગપતિ પાણીમાં 20 મિનિટ સુધી બાવળના ઝાડને પકડી […]

દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેન […]

દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે ’75મો વન મહોત્સવ’ યોજાશે

અમદાવાદઃ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘75મો વન મહોત્સવ’ યોજાશે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે […]

દ્વારકામાં દરિયામાં ભારે કરંટ, ઊંચા મોજા ઉછળતા સમુદ્ર કિનારે ન જવા લોકોને સુચના

દ્વારકા: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અરબી સમુદ્રમાં વિન્ડ શિયર સર્જાતા દ્વારકાના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. જેના લીધે ઊંચા મોજા ઉછળતા અને દરિયો તોફાની બનતા લોકોને દરિયા કાંઠા વિસ્તારમાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાઈ બીચ પર પોલીસ અને એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે. ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ છવાયો છે ત્યારે દ્વારકાના […]

દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 34 કરોડના ચરસના પેકેજ મળી આવ્યાં

અમદાવાદઃ ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે, આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ દ્વારકા નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસની તપાસ દરમિયાન રૂ. 34 કરોડના ચરસના પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે […]

ગુજરાતઃ દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતનો વિશાળ દરિયાકિનારો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. એવામાં, દ્વારકામાં આવેલા બીચ માટે એક સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવ્યો […]

દ્વારકાનો સમુદ્ર તોફાની બનશે, શિવરાજપુર બીચ પર પ્રતિબંધ, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

દ્વારકાઃ દેશમાં આંદામાન-નિકોબાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જેના લીધે ગુજરાત-સૌરાષ્ટ્રના સમુદ્રમાં જુન મહિનાથી કરંટ જોવા મળશે. આથી દેવભૂમિ દ્વારકાની નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code