1. Home
  2. Tag "Earthquake"

તાઇવાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,બે વાર ધ્રૂજી ધરતી

દિલ્હી: તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 હતી. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના જણાવ્યા અનુસાર રવિવારે તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઇએ હતું. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું, કારણ […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. છેલ્લા 24 કલાકમાં 11 વખત ભૂકંપના કારણે અહીં ધરતી ધ્રૂજી ગઈ છે. સતત આવતા ભૂકંપના કારણે હિમાલયના ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવે તેવી દહેશત છે. મંગળવારે સવારે 10.31 વાગ્યે ફરી એકવાર કાશ્મીર ઘાટીમાં ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે કારગિલ અને લદ્દાખની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ […]

ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી તબાહી,અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત

દિલ્હી:ચીનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપમાં ગાંસુ અને કિંઘઈ પ્રાંતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, સમાચાર એજન્સી સિન્હુઆને ટાંકીને એપીમાં પ્રકાશિત સમાચાર અનુસાર, 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર આ ભૂકંપ ગયા સોમવારે મધ્યરાત્રિ પહેલા ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય વિસ્તારમાં આવ્યો હતો. આ ભૂકંપની […]

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.9 ની નોંધાઈ તીવ્રતા

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે,આજે સવારે 9 વાગ્યે કચ્છમાં ધરતી ધ્રૂજી રહી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર,આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી છે. ગુજરાતના થોડા કલાકો પહેલા જ આજે સવારે તમિલનાડુમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ઉત્તરી તમિલનાડુના ચેંગલપેટ જિલ્લામાં […]

કર્ણાટક અને તમિલનાડુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

કર્ણાટક અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા  વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો  3.1 અને 3.2ની નોંધાઈ તીવ્રતા  બેંગલુરુ:કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે સવારે ભૂકંપની માહિતી સામે આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે સવારે […]

તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા?

દિલ્હી: તુર્કીમાં જોરદાર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી છે. જોરદાર ભૂકંપના કારણે લોકો ભયભીત બની ગયા હતા. લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા. અગાઉ પણ તુર્કીમાં ખૂબ જ તીવ્ર ભૂકંપ આવ્યો હતો, જેણે ભારે તબાહી મચાવી હતી. જોરદાર ભૂકંપ વચ્ચે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ નથી. સોમવારે ઉત્તર પશ્ચિમ તુર્કીમાં મધ્યમ તીવ્રતાનો […]

મોડી રાત્રે ભૂકંપના આંચકાએ બે દેશોને હચમચાવી દીધા, સુનામીના ભયથી એલર્ટ જારી

દિલ્હી: મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. ગઈકાલે પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ બાદ દક્ષિણ ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા, પલાઉ અને મલેશિયાના ભાગોમાં સુનામી આવવાની આશંકા હતી. ફિલિપાઈન્સની એક સરકારી એજન્સીએ […]

સવાર-સવારમાં ભૂકંપના આંચકાથી પાકિસ્તાન,ચીન સહિત અનેક દેશોની ધરતી ધ્રૂજી ઉઠી

દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભૂકંપની ઘટનાઓએ લોકોના મનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. દરેક વ્યક્તિને આશંકા છે કે આ ઘટનાઓ કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત છે.આ દરમિયાન મંગળવારે સવારે પાકિસ્તાન, ચીન અને ન્યુ ગિનીના દરિયાકાંઠે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે વિગતવાર માહિતી આપી છે. […]

દક્ષિણ ગુજરાતના સુરતમાં ધરા ધ્રુજી, 2.6ની તીવ્રતા

સુરતથી 20 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં સોમવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંતકાની તિવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરતમાં […]

હરિયાણાના સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

ચંડીગઢ: હરિયાણાના સોનીપત જિલ્લામાં રવિવારે સવારે ફરી એકવાર ધરતી ધ્રૂજી ગઈ અને ભૂકંપના આંચકા અનુભવાયા. એનસીઆરમાં રવિવારે સવારે લગભગ 4 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાનશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી ડૉ.ચંદ્રમોહનના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સોનીપતના ગન્નૌરના ખેડી ગુર્જર ગામ પાસે હતું. પૃથ્વીમાં તેની ઊંડાઈ 5.0 કિલોમીટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code