1. Home
  2. Tag "establishment"

ગુજરાતમાં પાંચ મેગા આઈટીઆઈની સ્થાપના કરાશે

અમદાવાદ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે ઉદ્યોગ મંત્રીએ પીડિલાઈટ અને નોકિયા નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 5 મેગા આઈ.ટી.આઇ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે આઈ.ટી.આઈ કુબેરનગરના નવનિર્મિત બહુમાળી […]

ગુજરાત યુનિવર્સિટીની ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે પસંદગી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના ક્લાયમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીના એકશન પ્લાનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. આ એક્શન પ્લાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી મુખ્યત્વે પાંચ પ્રકારની કામગીરી કરવાની છે. તદઅનુસાર, યુનિવર્સિટી ભવનો-કોલેજોમાં સસ્ટેઇનેબલ કેમ્પસ અન્વયે સૌર ઊર્જાનો વપરાશ વધારવા સાથે ઊર્જા કાર્યક્ષમતા અને વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાશે. એટલું જ નહિ, વેધર સ્ટેશનની સ્થાપના […]

કચ્છમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમ કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ ખાતેની […]

ઉત્તરપ્રદેશઃ ગણેશજીની મુર્તિની સ્થાપના કરનાર મુસ્લિમ મહિલા ભક્ત સામે મુફ્તીએ ફતવો જાહેર કર્યો

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અલીગઢમાં રૂબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી, જેથી તેમને મૌલાનાઓએ નિશાના બનાવ્યાં હતા. મુસ્લિમ મહિલાએ કહ્યું કે, તે હિંદુઓનો દરેક તહેવાર ઉજવે છે અને આગળ પણ મનાવશે. બીજી તરફ ફતવો જાહેર કરનાર મુફ્તી અરશદ ફારૂકીનું કહેવું છે […]

ગુજરાતઃ ગણેશ મહોત્સવમાં સાર્વજનિક સ્થળો ઉપર વિધ્યનહર્તાની સ્થાપના થઈ શકશે

કોવિડ-19ને કારણે બે વર્ષથી નથી થઈ ઉજવણી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય મૂર્તિની ઉંચાઈના નિયંત્રણો દૂર કરાયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બે વર્ષથી મોટાભાગના તહેવાર અને મહોત્સવ યોજવામાં આવ્યાં ન હતા. જો કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા વિવિધ તહેવારો અને મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગણેશ મહોત્સવને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની […]

જમ્મુ અને કાશ્મીરમાં બે વર્ષમાં અનેક ડેરી એકમોની સ્થાપનાઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે PMની રેલીમાં ટેક્નૉલૉજી પ્રદર્શન સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરશે અને દેશભરમાં આજીવિકાના પ્રચંડ નવા રસ્તાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે, પરંતુ તે  જાગૃતિના અભાવે આ પ્રદેશમાં પૂરતું ધ્યાન પ્રાપ્ત કરી રહ્યાં નથી. ડૉ. જિતેન્દ્ર સિંહે આ રવિવારે રાષ્ટ્રવ્યાપી “પંચાયતી રાજ દિવસ”ની ઉજવણીની માટે પ્રધાનમંત્રીની જમ્મુની મુલાકાત […]

અદાણી યુનિવર્સિટીની સ્થાપનાને ગુજરાત વિધાનસભાની મંજૂરી

અમદાવાદ : વિદ્યાર્થીઓને ઉત્તમ અને સ્પર્ધાત્મક શિક્ષણ ઉપલબ્ધ બનાવવાની તક પૂરી પાડવા માટે ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ઉત્સુક અદાણી ઉદ્યોગ સમૂહની દરખાસ્તને ગુજરાત વિધાનસભાએ ગુજરાત રાજય ખાનગી યુનિવર્સિટી કાનૂન ૨૦૦૯ હેઠળ સર્વાનુમતે પસાર કરેલા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના વિધેયક સાથે મંજૂરી મળી છે. અદાણી શિક્ષણ અને સંશોધન સંસ્થા દ્વારા ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે રાજ્ય સરકારને દરખાસ્ત […]

માયાવતીના રસ્તે ચાલ્યાં લાલુ પ્રસાદ યાદવ, પાર્ટી કાર્યાલય બહાર 6 ટનની લાલટેનની કરાશે સ્થાપના

પટણાઃ ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના શાસનમાં ઠેર-ઠેર બીએસપીના ચૂંટણી પ્રતિક હાથીની વિશાલ મૂર્તિઓ ઠેર-ઠેર મુકવામાં આવી હતી. હવે આ રસ્તા ઉપર બિહારમાં આરજેડી ચાલી રહી હોય તેમ લાગી રહી છે. આરજેટીના પાર્ટી કાર્યાલયની બહાર મોટી લાલટેનની સ્થાપના કરવામાં આવશે. રાજસ્થાનના 6 ટનના પથ્થરથી આ વિશાળ લાલટેન તૈયાર કરવામાં આવી છે. બિહારમાં પેટાચૂંટણીમાં આરજેડીમાં ભલે […]

જમ્મુ-કાશ્મીરઃ આતંતવાદી પ્રવૃતિ સહિતના ગંભીર બનાવોની તપાસ માટે SIAની સ્થાપના

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે ચરમપંથીઓ અને ઉગ્રવાદના સંબંધિત કેસની જલ્દી અને પ્રભાવશાળી તપાસ માટે નવી તપાસ એજન્સી સ્ટેટ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એસઆઈએ)ની સ્થાપના કરી છે. આ તપાસ એજન્સી અંગે સરકારે કહ્યું હતું કે, એસઆઈએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે કોઓર્ડિનેટ કરવા માટેની નોડલ એજન્સી હશે. જમ્મુ-કાશ્મર પોલીસના સીઆઈડી વિંગના પ્રમુખ જ એસઆઈએના ડાપયરેક્ટર હશે. […]

અફોર્ડેબલ હાઉસિંગ માટે આધુનિક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપનાઃ વિશ્વની 54 નવી ટેકનીકોને શોર્ટલિસ્ટ કરાઈ

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત , વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મકાનોના ઝડપી અને ગુણવત્તાયુક્ત બાંધકામ માટે આધુનિક, નવીન અને હરિયાળી તકનીકો અને મકાન સામગ્રીને અપનાવવા માટે એક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપના કરવામાં આવી છે. ટેકનોલોજી સબ-મિશન અંતર્ગત, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ વૈશ્વિક હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયાની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ વિશ્વભરની નવીન તકનીકોને ઓળખવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code